Gujarat Election: ભાજપની બે 'લકી' સીટો, જેણે રાજ્યને મોદી સહિત આપ્યા ચાર મુખ્યમંત્રી
ભાજપ માટે ગુજરાતની બે સીટો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ સીટ એવી છે જેણે ગુજરાતના ચાર મુખ્યમંત્રી આપ્યા છે.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનુ છે. જ્યારે પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. આજે સાંજે 5 વાગે પ્રચારના પડઘમ શાંત થઈ જશે. આ વખતની ગુજરાતની ચૂંટણી ત્રિપાંખીયો જંગ જામેલો છે. દરેક રાજકીય પક્ષોએ પોતાની એડીચોટીનુ જોર લગાવી દીધુ છે. હવે એ જોવાનુ રસપ્રદ રહેશે કે કયો પક્ષ બાજી મારશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી શાસન કરી રહી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ આ વખતે એક પછી એક ચૂંટણી રેલીઓ કરીને પોતાના પક્ષ માટે જોરદાર પ્રચાર કર્યો. ભાજપ માટે ગુજરાતની બે સીટો ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ સીટ એવી છે જેણે ગુજરાતના ચાર મુખ્યમંત્રી આપ્યા છે.

ગુજરાતની આ બે બેઠકો છે ભાજપ માટે લકી
ગુજરાતની આ બે લકી બેઠકો ઘાટલોડિયા વિધાનસભા બેઠક અને રાજકોટ પશ્ચિમ બેઠક છે. આ બેઠકોએ ચાર મુખ્યમંત્રી આપ્યા છે. ઘાટલોડિયા બેઠક 2008ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. અસ્તિત્વમાં આવ્યા બાદ 2008 અને 2017માં બે વખત ચૂંટણી થઈ અને ભાજપનો વિજય થયો. ઘાટલોડિયા બેઠકની વાત કરીએ તો 2017માં ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલ વિજય રૂપાણીના સ્થાને મુખ્યમંત્રી બન્યા હતા. જ્યારે વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટાયા હતા. આનંદીબેન પટેલ પણ વર્ષ 2012માં ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટાયા હતા અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. નરેન્દ્ર મોદી વર્ષ 2001માં તત્કાલીન રાજકોટ-2 બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા અને કેશુભાઈ પટેલના સ્થાને મુખ્યમંત્રી બન્યા હતા. જોકે, સીમાંકન બાદ રાજકોટ-2 સીટ બદલીને રાજકોટ પશ્ચિમ કરવામાં આવી હતી.

ઘાટલોડિયામાં પાટીદાર અને રબારી સમાજનુ પ્રભુત્વ
અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પર પાટીદાર સમાજ અને રબારી સમાજનુ પ્રભુત્વ છે. આ બેઠક પર કુલ મતદારોની સંખ્યા 3,52,340 છે. આ બેઠક ભાજપ માટે મહત્વની છે કારણ કે આ બેઠક પર ભાજપના ઉમેદવારો સતત બે વખત જીત્યા છે. 2012ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઘાટલોડિયા બેઠક પરથી આનંદીબેન પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જેમણે કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ પટેલને એક લાખથી વધુ મતોના માર્જિનથી હરાવ્યા હતા. જો કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી હતી અને ભુપેન્દ્ર પટેલ છેલ્લી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને જંગી મતોથી જીત્યા હતા અને રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા.

ભાજપે 1.17 લાખના માર્જિનથી જીતી હતી બેઠક
ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. 2017ની ચૂંટણીમાં રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો 1.17 લાખના સૌથી મોટા માર્જિન સાથે ચૂંટાઈ આવી હતી. 182 બેઠકો ધરાવતી ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણી બે તબક્કામાં 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે યોજાઈ રહી છે અને ચૂંટણી પરિણામો 8 ડિસેમ્બરે આવશે. આ વખતે ભાજપને આમ આદમી પાર્ટી તરફથી પડકારનો સામનો કરવો પડશે અને પંજાબમાં પાર્ટીના શાનદાર પ્રદર્શનને જોતા આ મુકાબલો રસપ્રદ રહેશે. ગઈ ચૂંટણીમાં ભાજપે વિધાનસભામાં 99 બેઠકો જીતીને સરકાર બનાવી હતી, જ્યારે વિપક્ષ કોંગ્રેસ 77 બેઠકો પર સમેટાઈ ગઈ હતી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા









Click it and Unblock the Notifications
