ગુજરાત ચૂંટણી: પૂર્વ પાસ કન્વીનર ચિરાગ પટેલ BJPમાં જોડાયા
પાસના વાર સામે ભાજપના બે પલટવારપૂર્વ પાસ કન્વીનર ભાજપમાં જોડાયાનીતિન પટેલની પત્રકાર પરિષદ પછી ગુરૂવારે અધિકૃત રીતે ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા
ગુરૂવારે વધુ એક પાસ કન્વીનર અધિકૃત રીતે ભાજપમાં જોડાયા હતા. પૂર્વ પાસ કન્વીનર ચિરાગ પટેલે ગુરૂવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે પાસ કન્વીનરો પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો, તેમાંના એક ચિરાગ પટેલ પણ હતા અને તેઓ હાર્દિક સાથે જેલ પણ ગયા હતા. ભાજપમાં અધિકૃત રીતે જોડાયા બાદ તેમણે પત્રકાર પરિષદનું પણ સંબોધન કર્યું હતું.

ચિરાગ પટેલે પત્રકાર પરિષદમાં કહ્યું કે, પાટીદાર આંદોલન અમે બધાએ સાથે મળીને શરૂ કર્યું હતું, પરંતુ વર્તમાન સમયમાં આ આંદોલન વ્યક્તિગત બની ગયું હતું. હું પાટીદાર સમાજના હિત માટે ભાજપમાં જોડાઉં છું. હાર્દિકે પોતાની પાપલીલા સ્વીકારી લેવી જોઇએ. સરદારનો ઉપયોગ કરતી કોંગ્રેસ અને માત્ર વોટબેંક માટે સરદાર તથા પાટીદારોનો ઉપયોગ કરતી કોંગ્રેસ કરતા મને ભાજપમાં જોડાવાનું વધુ સારું લાગ્યું. જે રીતે આ ઘટનાઓ ઘટી રહી છે, એના પરથી સ્પષ્ટ છે કે, પાછલા બારણે કોંગ્રેસ સાથે હાર્દિક મળેલો છે. પાટીદાર આંદોલનમાં કોંગ્રેસે હાર્દિકને ચહેરો બનાવ્યો છે, જેથી તેમને પાટીદારોનો લાભ મળે.
રાજદ્રોહના કેસ મામલે
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ ઉપરાંત ચિરાગ પટેલ અને કેતન પટેલ પર પણ રાજદ્રોહનો કેસ થયો હતો. આ મામલે ચિરાગે કહ્યું હતું કે, એ કેસ પાછો ખેંચાય એ માટે હું ભાજપમાં નથી જોડાયો. એવી કોઇ ગણતરી નથી. કાયદો પોતાનું કામ કરશે. તો નીતિન પટેલને જ્યારે કેસ પરત ખેંચવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, રાજ્યમાં શાંતિની સ્થિતિ જળવાઇ રહે એ માટે સરકાર દ્વારા કેસ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ અંગે જાહેરાત પણ ઘણી પહેલા જ થઇ ચૂકી હતી. એ કેસમાં રાજદ્રોહનો કેસ પણ આવી જાય છે. ઘણા કેસો પાછા ખેંચાઇ ગયા અને અન્ય કેસો પરત ખેંચવાની કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
