Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં 45 IAS અધિકારીઓની બદલી : અજય ભદ્દુ CMના સચિવ

ગાંધીનગર, 3 જુલાઇ : ગુજરાત સરકારે ગુજરાત કેડરના 45 આઇએએસ અધિકારીઓની બદલી કરી છે. આ બદલીઓને કારણે સરકારી વિભાગોમાં ચર્ચા શરૂ થઇ છે.

ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વર્તમાન સચિવ વિજય નહેરાની નિમણૂંક હજી એક મહિના પહેલા આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતી ત્યારે કરવામાં આવી હતી. એક મહિનાના જ સમયમાં તેમની ફરી બદલી કરવામાં આવી છે. હવે તેમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બનાવી દેવામાં આવ્યા છે.

gujarat-map-8

બીજી તરફ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન કમિશનર અજય ભદ્દુને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નવા સચિવ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભદ્દુને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB)ના સીઇઓ બનાવીને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

અન્ય બદલીઓમાં જિલ્લા કલેક્ટર્સ, મ્યુનિસિપલ કમિશનર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર મનોજ કુમાર દાસને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.

પ્રોહિબિશન પર રહેલા ગૃહ વિભાગના અધિક સચિવ મિલિંદ તોરાવનેની બદલી સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે. મહેસાણાના કલેક્ટર રાજકુમાર બેનિવાલની બદલી અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે કરવામાં આવી છે.

નવસારી જિલ્લાના કલેક્ટર સંધ્યા ભુલ્લરની બદલી વ્યવસાય અને તાલીમના કમિશનર તથા ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશનના એક્સ ઓફિશિયો મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X