''આજે ગુજરાત વિધાનસભામાં લોકાયુક્ત બિલ રજૂ કરાશે''
ગાંધીનગર, 2 એપ્રિલ: ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર ગુજરાત વિધાનસભામાં એક એવું બિલ પાસ કરવા જઇ રહી છે. જેના હેઠળ લોકાયુક્તની નિયુક્તિમાં રાજ્યપાલની ભૂમિક રહેશે નહી.
ગુજરાત સરકાર લોકાયુક્ત આયોગ વિધેયક 2013ને આજે સદનમાં પાસ કરાવવાનો પ્રયત્ન કરશે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. વિપક્ષનું કહેવું છે કે તે કોઇપણ હાલતમાં આ વિધેયકને પાસ થવા નહી દે.
ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર ગુજરાત વિધાનસભામાં આ વિધેયકને પાસ કરાવવાના પ્રયત્નમાં છે, જો આ બિલ પાસ થઇ જશે તો લોકાયુક્તની નિયુક્તિમાં રાજ્યપાલની ભૂમિકા નષ્ટ થઇ જશે. ગુજરાત સરકાર વિધાનસભામાં આજે આ વિધેયક પાસ કરવવા તમામ પ્રયત્નો કરશે, પરંતુ કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટીએ સ્પષ્ટપણે કહી દિધું છે કે તે ભાજપ સરકારના આ વિધેયકને પાસ થવા નહી દે. લોકાયુક્ત પર નરેન્દ્ર મોદીની સરકારના નવા વિધેયક અંગે કહેવામાં આવે છે કે આ વિધેયક પાસ થવાથી લોકાયુક્તની નિયુક્તિની પ્રક્રિયામાં આમૂલ ફેરફાર થઇ જશે.

નવા વિધેયકમાં રાજ્યપાલની વિવેકાધીન શક્તિઓ ખતમ થઇ જશે. નવા વિધેયક મુજબ લોકાયુક્તની નિયુક્તિ એક ખાસ પસંદગી સમિતિની ભલામણોના આધારે થશે. આ સમિતિમાં રાજ્યના મુખ્યમંત્રી અધ્યક્ષની ભૂમિકામાં હશે, તો બીજી તરફ વિધાનસભા અધ્યક્ષ, વિપક્ષના નેતા અથવા અધ્યક્ષ દ્રારા નિમવામાં આવેલા કોઇ વિપક્ષી ધારાસભ્ય, એક હાઇકોર્ટના જજ અને વિજિલેન્સ કમિશ્નર સભ્ય હશે. અત્યાર સુધી લોકાયુક્તની પસંદગીમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, વિપક્ષના નેતા અને હાઇકોર્ટના મુખ્ય જજની ભૂમિકા રહેતી હતી.
જ્યારે નવા વિધેયકને લઇને નરેન્દ્ર મોદી સરકાર પર સવાલ ઉભા થયા છે. ગુજરાતમાં 2003 થી માંડીને 2011 સુધી લોકાયુક્તનું પદ ખાલી પડ્યું છે. આઠ વર્ષ બાદ રાજ્યપાલ કમલા બેનીવાલે રિટાયર્ડ જસ્ટિસ આર એ મહેતાને ગુજરાત લોકાયુક્ત બનાવ્યા હતા.
આ મુદ્દે નરેન્દ્ર મોદીએ હાઇકોર્ટથી માંડીને સુપ્રિમ કોર્ટ સુધી રાજ્યપાલના નિર્ણયને પડકાર ફેંક્યો હતો. નરેન્દ્ર મોદીનું કહેવું હતું કે લોકાયુક્તની નિયુક્તિમાં તેમનો મત લેવામાં આવ્યો ન હતો.
જાન્યુઆરી 2013માં સુપ્રિમ કોર્ટે જસ્ટિસ આર એ મહેતાની નિયુક્તિ અને રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો, જો કે રાજકિય વિવાદોના કારણે જસ્ટિસ મહેતાએ હજુ સુધી ગુજરાતના લોકાયુક્તનું કામકાજ સંભાળ્યું નથી.
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
