ગુજરાતને ડબલ એન્જિન સરકારનો લાભ મળી રહ્યો છે : CM ભૂપેન્દ્ર પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત દેશવ્યાપી ગરીબ કલ્યાણ સંમેલનમાં શિમલાથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ ગરીબ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારના રોજ 'આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત દેશવ્યાપી ગરીબ કલ્યાણ સંમેલનમાં શિમલાથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ ગરીબ કલ્યાણ યોજનાઓના લાભાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આ ગરીબ કલ્યાણ સંમેલનનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો.
યોજનાઓના સર્વગ્રાહી અમલીકરણે ગુજરાતને વિકાસ મોડલ બનાવ્યું
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે સેવાના પાંચ મુખ્ય સ્તંભો, સુશાસન,ગરીબ કલ્યાણ, નવીનતા અને નિશ્ચય પર સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રા ચાલુ રાખી છે. ગુજરાતના વિકાસની ગતિને વધુ ઝડપીબનાવવામાં ડુબોન એન્જિન સરકારનો મહત્વનો ફાળો છે. યોજનાઓના સર્વગ્રાહી અમલીકરણને કારણે ગુજરાત વિકાસનું રોલ મોડેલ બન્યુંછે.
આખો દેશ અનુભવી રહ્યો છે વડાપ્રધાનની વિકાસની રાજનીતિ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્રમાં મોદીના નેતૃત્વની સરકારે આઠ વર્ષમાં ભારતને એક નવી દિશા અને વિકાસનો નવો માર્ગઆપ્યો છે. આઠ વર્ષ બાદ આજે મોદી સરકાર આદર, ઉર્જા, આશા અને અપેક્ષાનું પ્રતિક બની ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે, આખો દેશવડાપ્રધાનની વિકાસની રાજનીતિનો અનુભવ કરી રહ્યો છે.
વિવિધ જિલ્લા કેન્દ્રો પર કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા
રાજ્યના વિવિધ જિલ્લા કેન્દ્રો પર કેન્દ્રીય મંત્રીઓની હાજરીમાં ગરીબ કલ્યાણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરતમાંકેન્દ્રીય રાજ્યમંત્રી દર્શના જરદોસ, વિદેશ મંત્રી એસ જયશંકર, ભાવનગરમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, અમરેલીમાં કેન્દ્રીયપશુપાલન મંત્રી પુરુષોત્તમ રૂપાલા અને સુરેન્દ્રનગરમાં કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, કેબિનેટ સભ્યો અને રાજ્યભરમાંથી 1લાખ લાભાર્થીઓ વર્ચ્યુઅલ રીતે જોડાયેલા છે.