સ્વાઇન ફ્લુ મામલે ગુજરાત સરકારને હાઇકોર્ટની ફટકાર

ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને આ નોટિસ એટલા માટે ફટકારી કારણે કે સાબરમતી જેલના 6થી 7 કેદીઓએ હમણા હમણા જામીન પર છોડવા માટે અરજી કરી છે અને તેમણે એવો હવાલો આપ્યો છે કે તેમના સંબંધીઓને સ્વાઇન ફ્લુ અને ડેન્ગ્યુની ગંભીર બીમારી થઇ છે માટે તેમને તાકિદે જામીન આપવા વિનંતી. જેના પગલે હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે કે સ્વાઇન ફ્લુને અટકાવવા સરકાર શું પગલા ભરી રહી છે.
હાઇકોર્ટે ગુજરાત સરકાર ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનને પણ એક્સન ટેકન રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યા છે, તેમજ તેઓ સ્વાઇન ફ્લુને અટકાવવા શું પગલા લીધા અને શું પગલા ભરવાના છે, તેમજ હોસ્પિટલ આ અંગે કેવી સારવાર આપી રહી છે તે અંગેનો અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં અત્યાર સુધી 6.3 ટકા સ્વાઇન ફ્લુના કેસો નોંધાયા છે. જ્યારે અત્યાર સુધી રાજ્યામાં 123 જેટલા લોકોના સ્વાઇન ફ્લુના કારણે મોત થઇ ચૂક્યા છે. જોકે હજી આ આંકડો વધવાની શક્યતા છે. જોકે હાઇકોર્ટે આ આંકડાઓ પર પણ નારાજગી વ્યક્ત કરી છે.












Click it and Unblock the Notifications
