Covid 19 Test મામલે ગુજરાત પાંચમા નંબરે, કુલ 95000થી વધુ ટેસ્ટ થયા
Covid 19 Test મામલે ગુજરાત પાંચમા નંબરે, કુલ 95000થી વધુ ટેસ્ટ થયા
અમદાવાદઃ કોરોના વાયરસ મહામારીએ આખા વિશ્વને ઘૂંટણીયે લાવી દીધું છે. દેશમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધુ કેસ ગુજરાતમાં જ નોંધાયા છે જ્યાં અમદાવાદમાં આખા ગુજરાતની સરખામણીએ દરરોજ 50 ટકાથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ ગુજરાતમાં ટેસ્ટ રેટ ઓછો હોવાને લઈ પ્રશ્ન ઉઠાવ્યા છે.
જણાવી દઈએ કે કોરોના વાયરસના પોઝિટિવ કેસના મામલે મહારાષ્ટ્ર બાદ ગુજરાતનો નંબર આવે છે, જ્યાં 6 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે, તેમાં પણ ખાસ કરીને અમદાવાદની સ્થિતિ સૌથી કફોડી છે. જેને ધ્યાનમાં રાખી અમદાવાદમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે, આ ઉપરાંત વિવિધ જિલ્લાઓની બોર્ડર પણ સંપૂર્ણ સીલ કરી દેવામાં આવી છે.

95191 ટેસ્ટ થયા
ગુજરાતમાં 7 મે સુધીમાં 95191 ટેસ્ટ થયા હતા, જે અહીંના વધતા કેસની દ્રષ્ટિએ બહુ ઓછા કહેવાય. તમિલનાડુમાં 4829 કેસ પોઝિટિવ કેસનો રોશિયો 2.6 ટકા હોવા છતાં 1 લાખ 88 હજાર 241 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ગુજરાતમાં ટેસ્ટ ટૂ પોઝિટિવ કેસનો રેટ મહારાષ્ટ્ર (9.2%) અને દિલ્હી (7.7%) પછી સૌથી વધુ 7% હોવા છતાં ગુજરાત ટેસ્ટિંગના મામલે ઘણું પાછળ છે.

કયા રાજ્યમાં કેટલા ટેસ્ટ થયા જાણો
જણાવી દઈએ કે સૌથી વધુ 1,88,241 ટેસ્ટ તમિલનાડુમાં થયા જેમાંથી 4829 લોકો પોઝિટિવ મળ્યા જેમાના 35 લોકોના મોત થયાં અને 1516 લોકો રિકવર થઈ ચૂક્યા છે. જે બાદ મહારાષ્ટ્રમાં 1,81,746 ટેસ્ટ થયા અને 16758 લોકો પોઝિટિવ નોંધાયા જેમાંથી 651 લોકોના મોત થઈ ચૂક્યાં છે અને 3094 લોકો રિકવર થઈને ઘરે પહોંચી ગયા છે.
જે બાદ આંધ્ર પ્રદેશમાં 1,41,274 ટેસ્ટ થયા જેમાંથી 1777 લોકો પોઝિટિવ મળ્યા અને 36નાં મોત થયાં, જે બાદ રાજસ્થાનનો નંબર આવે છે જ્યાં કુલ 1,39,580 ટેસ્ટ થયા જેમાંથી 3317 કેસ પોઝિટિવ મળ્યા અને 93 લોકોના મોત થયાં છે. રાજસ્થાન બાદ ટેસ્ટિંગ મામલે ઉત્તર પ્રદેશનો નંબર આવે છે જ્યાં 1,09,888 ટેસ્ટ થયા જેમાંથી 2998 લોકો પોઝિટિવ મળ્યા છે અને 60 લોકોના મોત થયાં ચે.

ગુજરાતની સ્થિતિ શું છે
જો ગુજરાતની વાત કરીએ તો 7 મે 2020 સુધીમાં ગુજરાતમાં કુલ 95191 કોવિડ 19 ટેસ્ટ કરાયા છે જેમાંથી 6625 લોકો પોઝિટિવ મળી આવ્યા, એટલે કે ટેસ્ટ ટૂ પોઝિટિવનો રેશિયો ગુજરાતમાં 7 ટકાનો છે. જેમાંથી 396 લોકો મૃત્યુ પામ્યા છે (ગુજરાતનો મૃત્યુ દર 5.98 ટકા) અને 1500 લોકો અત્યાર સુધીમાં રિકવર થઈ ચૂક્યા છે. ગુજરાતનો રિકવરી રેટ 22.64 છે. જણાવી દઈએ કે
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
