લોકાયુક્તઃ ગુજરાત સરકારની અરજી SCએ કરી ખારિજ

આ પહેલા સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની રિવ્યૂ યાચિકાને ખારિજ કરી દીધી હતી. ગુજરાતના રાજ્યપાલ કમલા બેનીવાલે રાજ્યમાં લોકાયુક્તની નિયુક્તિ કરી દીધી હતી. તેમણે જસ્ટિસ એઆર મહેતાની લોકાયુક્ત તરીકે નિયુક્તિ કરી હતી. ગુજરાત સરકારનું કહેવું હતું કે રાજ્ય સરકારની સહમતિ વગર લોકાયુક્તની નિયુક્તિ અસંવૈધાનિક છે. સરકારે તેને હાઇકોર્ટમાં પડકાર ફેક્યો હતો. હાઇકોર્ટે ગુજરાત સરકારની યાચિકા ખારિજ કરી દીધી અને રાજ્યપાલના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો.
ગુજરાત સરકારે હાઇકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો પરંતુ 2 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો. મોદી સરકારે પુનર્સમીક્ષા યાચિકા દાખલ કરી પરંતુ સુપ્રીમ કોર્ટે તેને પણ ખારિજ કરી દીધી. બાદમાં મોદી સરકાર પાસે અંતિમ પગલું ક્યૂરિટીવ પિટીશનનું બચ્યું હતું. તેને પણ કોર્ટે ગુરુવારે ખારિજ કરી દીધી હતી.












Click it and Unblock the Notifications
