પર્યટકોને સુવિધા : ગુજરાતમાં સોમનાથ અને દીવને દરિયાઇ હાઇવેથી જોડાશે
ગાંધીનગર, 7 ઓગસ્ટ : ગુજરાત માટે કેન્દ્ર સરકાર તરફથી એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારના રાજમાર્ગ અને પરિવહન મંત્રાલયે ગુજરાતને વધુ ત્રણ નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગને મંજૂરી આપી દીધી છે. આ કારણે રાજ્યમાં આવતા પર્યટકોને માટે પરિવહન વધારે સરળ અને સમયની બચત કરાવતું બનશે.
જે ત્રણ રાષ્ટ્રીય દોરીમાર્ગ માટે મંજુરી મળે છે તેમાં ભાવનગર-સોમનાથ દરિયાઇ હાઈ વેને દીવ સાથે જોડતો 10 કિલોમીટરનો હાઈવે, ઊના, દેલવાડા-માંડવીથી દીવ અને કેસરિયા જંકશનને જોડતો 9 કિલોમીટરનો હાઈવે તેમજ વલસાડના કરમ્બેલી ફાટકથી દમણ ચેકપોસ્ટ અને પટાલીયાથી ઉદવાડા રેલવે સ્ટેશનને જોડતા માર્ગનો સમાવેશ થાય છે.

રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે અત્યાર સુધી કુલ 90 કિલોમીટરના આ રાજ્યધોરી માર્ગો હવેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનતા તેનો નિભાવ ખર્ચ કેન્દ્ર ભોગવશે.
નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે ગુજરાતના 90 કિલોમીટરની લંબાઈના ત્રણ નવા રાષ્ટ્રીય ધોરી માર્ગને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે ગુજરાતના જે અગત્યના રસ્તાઓ છે તેને નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કર્યા છે. ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડતા તેમજ મહારાષ્ટ્રની સરહદથી સાગબારા - ડેડીયાપાડા - નેત્રંગ સુધીના રસ્તાઓનો સમાવેશ થાય છે.
તેમણે જણાવ્યું કે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ 3867 કિલોમીટરની છે જે પૈકી રાજ્ય સરકાર હસ્તકના ધોરીમાર્ગની લંબાઈ 2040 કિલોમીટરની છે. તેમાં હવે 90.2 કિલોમીટરના નવા રાષ્ટ્રીય ધોરી માર્ગનો સમાવેશ થશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
