પર્યટકોને સુવિધા : ગુજરાતમાં સોમનાથ અને દીવને દરિયાઇ હાઇવેથી જોડાશે

ગાંધીનગર, 7 ઓગસ્ટ : ગુજરાત માટે કેન્દ્ર સરકાર તરફથી એક સારા સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારના રાજમાર્ગ અને પરિવહન મંત્રાલયે ગુજરાતને વધુ ત્રણ નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગને મંજૂરી આપી દીધી છે. આ કારણે રાજ્યમાં આવતા પર્યટકોને માટે પરિવહન વધારે સરળ અને સમયની બચત કરાવતું બનશે.

જે ત્રણ રાષ્ટ્રીય દોરીમાર્ગ માટે મંજુરી મળે છે તેમાં ભાવનગર-સોમનાથ દરિયાઇ હાઈ વેને દીવ સાથે જોડતો 10 કિલોમીટરનો હાઈવે, ઊના, દેલવાડા-માંડવીથી દીવ અને કેસરિયા જંકશનને જોડતો 9 કિલોમીટરનો હાઈવે તેમજ વલસાડના કરમ્બેલી ફાટકથી દમણ ચેકપોસ્ટ અને પટાલીયાથી ઉદવાડા રેલવે સ્ટેશનને જોડતા માર્ગનો સમાવેશ થાય છે.

somnath-to-diu

રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે અત્યાર સુધી કુલ 90 કિલોમીટરના આ રાજ્યધોરી માર્ગો હવેથી રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનતા તેનો નિભાવ ખર્ચ કેન્દ્ર ભોગવશે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે કેન્દ્ર સરકારે ગુજરાતના 90 કિલોમીટરની લંબાઈના ત્રણ નવા રાષ્ટ્રીય ધોરી માર્ગને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે ગુજરાતના જે અગત્યના રસ્તાઓ છે તેને નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કર્યા છે. ગુજરાતને મહારાષ્ટ્ર સાથે જોડતા તેમજ મહારાષ્ટ્રની સરહદથી સાગબારા - ડેડીયાપાડા - નેત્રંગ સુધીના રસ્તાઓનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું કે રાજ્યમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ 3867 કિલોમીટરની છે જે પૈકી રાજ્ય સરકાર હસ્તકના ધોરીમાર્ગની લંબાઈ 2040 કિલોમીટરની છે. તેમાં હવે 90.2 કિલોમીટરના નવા રાષ્ટ્રીય ધોરી માર્ગનો સમાવેશ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X