ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી

ગુજરાતમાં હાલમાં જ થયેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે. જોકે, હજુ પણ આ સંકટ ટળ્યું નથી તેવી વિગતો હવામાન વિભાગ દ્વારા સામે આવી રહી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ માર્ચના અંતમાં ફરી વાતાવરણ પલટાશે. એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદના બે રાઉન્ડ આવવાની શક્યતા છે, જે આફત બની શકે છે.

અગાઉ પશ્ચિમી વિક્ષોભ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કરા સાથેના આ વરસાદે ખેતીના પાકને ભારે નુકસાન કરીને જનજીવન પ્રભાવિત કર્યું હતું.

હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં તાપમાનમાં વધારો નોંધાશે. 28 માર્ચ સુધી વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ ગરમીનો પારો 2-3 ડિગ્રી વધી શકે છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાની પ્રબળ શક્યતા છે. તેની અસરથી ગુજરાતના સરહદી વિસ્તારો અને કચ્છમાં ફરી વાદળછાયું વાતાવરણ જોવા મળશે.

રાજ્યમાં આગામી 29 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી પવનની ગતિમાં ભારે વધારો થઈ શકે છે. આ સમયગાળામાં 40 થી 50 કિમીની ઝડપે ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાઈ શકે છે.

એપ્રિલના બીજા સપ્તાહમાં પણ પ્રી-મોન્સુન એક્ટિવિટીના કારણે રાજ્યમાં વરસાદ અને કરા પડી શકે છે. આ આખો મહિનો વાતાવરણમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળશે જે ખેડૂતો માટે ચિંતાજનક છે.

સૌથી મોટી ચેતવણી 20 એપ્રિલ પછીના સમયગાળા માટે આપવામાં આવી છે જે ગંભીર છે. બંગાળના ઉપસાગરમાં એક શક્તિશાળી વાવાઝોડું સક્રિય થવાની શક્યતા પણ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X