વિધાનસભામાં ગુંજ્યુ આગાહીકાર અંબાલાલ પટેલનું નામ, જાણ કેમ?
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ચર્ચામાં આવ્યા હતા. ગૃહમાં તેમની સચોટ આગાહીઓની પ્રશંસા કરવામાં આવી હતી, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સિસ્મોલોજી સેન્ટરની સરખામણીએ અંબાલાલ પટેલની આગાહીઓને વધુ અસરકારક ગણાવી હતી. તેમણે ગૃહમાં આ વિષય પર સરકાર સમક્ષ મહત્વના સવાલો પણ રજૂ કર્યા હતા.

ધારાસભ્યએ સરકારને પ્રશ્ન કર્યો હતો કે જો અંબાલાલ પટેલની આગાહીઓ આટલી સચોટ હોય, તો શું સરકાર તેમને કોઈ સત્તાવાર પદ આપવા વિચારે છે? આ માંગણીએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ સ્વીકાર્યું હતું કે રાજ્યમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહીઓ ખૂબ જ ભરોસાપાત્ર સાબિત થાય છે. આ દરમિયાન તેમની આગાહી કરવાની ક્ષમતાને બિરદાવવામાં આવી હતી.
અંબાલાલ દામોદરદાસ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર, 1947ના રોજ એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે આણંદની એગ્રીકલ્ચર કોલેજમાંથી કૃષિ વિજ્ઞાનમાં સ્નાતક સુધીનો અભ્યાસ પૂર્ણ કરેલો છે.
શિક્ષણ મેળવ્યા બાદ તેઓ ગુજરાત સરકારના કૃષિ વિભાગમાં જોડાયા હતા અને વિવિધ પદો પર સેવા આપી હતી. તેઓ વર્ષ 2005માં મદદનીશ ખેતી નિયામક તરીકેના પદ પરથી નિવૃત્ત થયા હતા.
સરકારી સેવા દરમિયાન જ તેમને સમજાયું હતું કે ખેડૂતો માટે હવામાનની સચોટ માહિતી કેટલી અનિવાર્ય છે. નિવૃત્તિ બાદ તેમણે પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરી જ્યોતિષ વિદ્યામાં નિપુણતા મેળવી હતી.












Click it and Unblock the Notifications
