ગુજકેટની પરીક્ષાનુ પરિણામ થયુ જાહેર, ગ્રુપ Aના 474 અને Bના 678 છાત્રોને 99 પર્સન્ટાઈલ
ગુજકેટની પરીક્ષાનુ આજે ઑનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે.
અમદાવાદઃ ગુજકેટની પરીક્ષાનુ આજે ઑનલાઈન પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ગઈ 6 ઓગસ્ટે ગુજકેટની પરીક્ષા યોજવામાં આવી હતી જેમાં 67,951 વિદ્યાર્થીઓ અને 45,251 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી. જેમાં એ ગ્રુપના 46,013 વિદ્યાર્થીઓ અને બી ગ્રુપમાં 66,909 વિદ્યાર્થીઓ હતા. એ ગ્રુપમાંથી 474 વિદ્યાર્થીઓ જ્યારે બી ગ્રુપમાંથી 678 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવ્યા છે. ગુજકેટના પરિણામના 50 ટકા ગુણ અને 12 સાયન્સની પરીક્ષાના 50 ગુણના આધારે ફાર્મસી અને એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.
ગુજકેટના 50 ટકા અને 12 સાયન્સના 50 ટકા
તમને જણાવી દઈએ કે ડિગ્રી એન્જિનિયરીંગ અને ડિગ્રી તેમજ ડિપ્લોમા ફાર્મસીના અભ્યાક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનુ આયોજન કરવામાં આવે છે. ગુજરાત કોમન એન્ટ્રસ ટેસ્ટમાં હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ગુજકેટના 50 ટકા ગુણ અને ધોરણ 12 સાયન્સની પરીક્ષાના 50 ટકા ગુણના આધારે ફાર્મસી અને એન્જિનિયરીંગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. વિદ્યાર્થીઓ result.gseb.org પર પોતાનુ પરિણામ જોઈ શકશે. બેઠક ક્રમાંકના માધ્યમથી પરિણામ જોઈ શકાશે.