હાર્દિક પટેલને મળી રહી છે જાનથી મારવાની ધમકી, ફરિયાદ દાખલ
પાટીદાર અનામત આંદોલનના કન્વીનર હાર્દિક પટેલે ઉદયપુરના પ્રતાપનગર પોલિસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે કોઇ વ્યક્તિ પાછલા કેટલાક દિવસથી તેને ફોન અને મેસેજ કરીને ધમકી આપી રહ્યો છે. અને તેને અને તેના પરિવારને નુક્શાન પહોંચાડવાની વાત કરી રહ્યા છે. જે અંગે હાર્દિકે પોલિસને તપાસ કરવાનું કહી ફરિયાદ નોંધાવી છે.



હાર્દિકે જે ફરિયાદ ઉદયપુરના પોલિસ સ્ટેશનમાં નોંધાવી છે તે મુજબ કોઇ વ્યક્તિ તેને પાછલા કેટલાય દિવસથી ફોન કરીને જાનથી મારવાની ધમકી આપી રહ્યો છે. આ વ્યક્તિ મુંબઇનો છે. અને તેણે ગુજરાતમાં રહેતા હાર્દિક પટેલના પરિવારને પણ હાનિ પહોંચાડવાની વાત ફોનમાં કરી હતી તેવું હાર્દિક પટેલનું કહેવું છે.

હાર્દિકે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે ધમકી આપનાર વ્યક્તિ તેને પાટીદાર આંદોલન બંધ કરવાની વાત કરી રહ્યો છે. અને જો તેણે આમ ના કર્યું તો હાર્દિકે જાન ગુમાવી પડશે તેવી ધમકી આપવામાં આવી છે. નોંધનીય છે કે હાર્દિક પટેલ તેના પર લાગેલા રાજદ્રોહના કેસ પછી હાઇકોર્ટના આદેશ મુજબ રાજસ્થાનના ઉદેયપુરમાં છે. જ્યાં રહીને તે આ આંદોલન ચલાવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
