જાણો તમારા ઉમેદવારને: ધોરાજીથી ભાજપના હરિભાઈ પટેલ
ગુજરાતમાં રાજકીય પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ધોરાજીની સીટ પરથી ભાજપના હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે. હરિભાઈ પટેલ વિષે થોડુ જાણીએ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો દાવો છે કે તે એક એક બેઠક પર પોતાની નજર બનાવીને આ ચૂંટણી લડી રહી છે. વળી વિધાનસભાની સીટ પરના ઉમેદવારોની યાદી અને વિવાદો પણ આ ચૂંટણીને વધારે રસપ્રદ બનાવી રહ્યા છે, ત્યારે 18 નવેમ્બરના ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં ધોરાજીની વિધાનસભા સીટ પરના ઉમેદવાર તરીકે હરિભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. તો હરિભાઈ પટેલ વિષે થોડુ જાણીએ. 64 વર્ષના હરિભાઈ 2004માં પોરબંદરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા. એ સમયે ગુજરાતમાં કોંગ્રેસનો પ્રભાવ હોવા છતાં હરિભાઈ પોરબંદરથી વિજેતા થયા હતા.

ગુજરાતની ધોરાજીની સીટ કોંગ્રેસનું ગઢ ગણાતી હતી. વર્ષ 2009 અને 2012 બંન્ને વિધાનસભાની ચૂંટણીમાં અહીં કોંગ્રેસની જીત થઈ હતી. પરંતુ 2013માં ધોરાજીના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ રાદડિયાને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, આથી આ સીટ પોતાને નામ કરવા ભાજપ લોકસભાની ચૂંટણી લડ્યા હોય તેવા અનુભવી ઉમેદવારની પસંદગી કરી કોંગ્રેસને બરાબરની ટક્કર આપવા તૈયાર છે. હરિભાઈના પિતાનું નામ માધવજીભાઈ પટેલ છે, હરિભાઈએ ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પત્નીનું નામ મંજુલાબેન છે. 2012માં તેમની કુલ સંપત્તિ 4 કરોડની આસપાસ તેમણે જણાવી હતી. તેમની પર કોઈ પણ પ્રકારનો ગુનાહિત કેસ નથી નોંધાયો.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
