હું અહીં એકતા નગરમાં છુ પરંતુ મારુ મન મોરબીના પીડિતો પાસે છેઃ પીએમ મોદી
ગુજરાતમાં મોરબીના મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડવાના કારણે બનેલી દૂર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે હું અહીં એકતા નગરમાં છુ પરંતુ મારુ મન મોરબીના પીડિતો સાથે છે.
ગુજરાતમાં મોરબીના મચ્છુ નદી પર ઝુલતો પુલ તૂટી પડવાના કારણે બનેલી દૂર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યુ કે હું અહીં એકતા નગરમાં છુ પરંતુ મારુ મન મોરબીના પીડિતો સાથે છે. દૂર્ઘટનામાં જે લોકોએ જીવ ગુમાવ્યા છે હું તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છુ. સરકાર દરેક રીતે પીડિત પરિવારો સાથે છે. ગુજરાત સરકાર કાલ સાંજથી રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. કેન્દ્ર સરકાર પાસેથી ગુજરાત સરકારને દરેક શક્ય મદદ આપવામાં રહી છે. એનડીઆરએફ અને સેના તૈનાત છે.

ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે લોકોને સંબોધતા પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે આજે રાષ્ટ્રીય એકતા દિવસ આપણને દુ:ખની આ ઘડીમાં એક થવા અને આપણી ફરજના માર્ગ પર રહેવાની સંવેદના આપી રહ્યો છે. હૉસ્પિટલમાં સતત સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ સીએમ ભૂપેન્દ્ર પટેલ મોરબી પહોંચી ગયા હતા. તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. રાહત અને બચાવ કાર્યમાં કોઈ કમી આવવા દેવામાં આવશે નહિ. પીએમે કહ્યુ કે, એનડીઆરએફ, આર્મી અને એરફોર્સ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. લોકોની મુશ્કેલી ઓછી થાય તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
#WATCH राहत-बचाव कार्य में NDRF, सेना और वायुसेना लगी हुई है। लोगों की दिक्कतें कम से कम हो इसे प्राथमिकता दी जा रही है: मोरबी में ब्रिज गिरने की घटना पर प्रधानमंत्री नरेंद्र मोदी#MorbiBridgeCollapse pic.twitter.com/uHydKx4EBL
— ANI_HindiNews (@AHindinews) October 31, 2022
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મોરબી શહેરમાં રવિવારે સાંજે મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો હતો. આ પુલ પર 500 લોકો હતા. અમદાવાદથી 300 કિમી દૂર આવેલા 150 વર્ષ જૂના પુલ પર ઘણા લોકો છઠ પૂજા કરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 141થી વધુ લોકોના મોત થયા છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
