Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોરોનાની બીજી લહેરમાંથી બહાર નિકળનાર ગુજરાત પહેલું રાજ્ય હશેઃ વિજય રૂપાણી

કોરોનાની બીજી લહેરમાંથી બહાર નિકળનાર ગુજરાત પહેલું રાજ્ય હશેઃ વિજય રૂપાણી

રવિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે કોરોનાવાયરસની બીજી લહેરમાંથી બહાર નિકળનાર ગુજરાત પહેલું રાજ્ય હશે. તેમણે કહ્યું કે કોરોનાવાયરસ મહામારીને કંટ્રોલમાં લેવા માટે યોગ્ય દિશામાં યોગ્ય પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

vijay rupani

વીડિયો કોન્ફ્રેન્સ દ્વારા વડોદરા જિલ્લાને ચાર ઑક્સિજન પ્લાન્ટ સમર્પિત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં કોરોના દર્દીઓનો ડિસ્ચાર્જ રેટ વધવા લાગ્યો છે અને પોઝિટિવિટી રેટ ઘટી રહ્યો છે. "અમે એક એવી વ્યવસ્થા ઉભી કરી છે કે કોઈપણ દર્દીઓ ઑક્સિજનના કારણે પોતાનો જીવ ગુમાવવો નહિ પડે." વધુમાં તેમણે કહ્યું કે, "અમે હોસ્પિટલ્સને અવિરત ઑક્સિજન સપ્લાઈ કરી રહ્યા છે."

આ ઉપરાંત વિજય રૂપાણીએ સાણંદ તાલુકાના ચેખલા ગામમાં 'મારું ગામ, કોરોના મૂક્ત ગામ' કેમ્પેન અંતર્ગત બનાવવામાં આવેલ કોમ્યૂનિટી કોવિડ કેર સેન્ટરની પણ મુલાકાત લીધી. ગ્રામજનો સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું કે, બીજી લહેર ખુબ તીવ્ર છે, ઝડપી ફેલાઈ રહી છે અને જીવલેણ છે. તે ઘણીવાર આખા પરિવારને અસર કરે છે. ત્યારે આપણે બધાએ વધુ સાવધાન રહેવાની જરૂર છે. મીડિયા સાથે વાત કરતાં સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, રાજ્યમાં દરરોજ 1.40 લાખ ટેસ્ટિંગ થઈ રહ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X