વર્ષ 2022-23માં 3.05 લાખ મહિલાઓ અને 1223 મહિલાઓની નસબંધી કરાઈ
11 મી જુલાઇ સમગ્ર વિશ્વમાં વિશ્વ વસ્તી દિવસ ઉજવાય છે. ગુજરાત રાજ્યમાં વસ્તી નિયંત્રણ ક્ષેત્રે સતત કામગીરી કરવામાં આવી રહી છે. વસ્તી નિયંત્રણ માટે વર્ષ 2030 સુધીમાં 2.1 ટકા પ્રજનન દરના લક્ષ્યાંકની સામે ગુજરાતે વર્ષ 2020 માં જ 1.9 ટકાનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વે-5ના આંકડામાં આ સિદ્ધીની નોંધ લેવાઈ છે.

વર્ષ 2022-23 માં રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળીને કુલ 6.64 લાખ જેટલી બહેનોએ કુટુંબ નિયોજન માટે કોપર ટી મૂકાવી છે. તેમાં પણ સરકારી હોસ્પિટલમાં થયેલ પ્રસૂતિમાંથી કુલ 4 લાખ જેટલી બહેનોએ પ્રસૂતિ બાદના 42 દિવસમાં જ કોપર ટી મૂકાવી છે.
વધુમાં કુટુંબ નિયોજન સ્ત્રી વ્યંધિકરણ માટે કરવામાં આવતા ઓપરેશનમાં પણ રાજ્યમાં કુલ 3,08,976 બહેનોએ સ્ટરીલાઇઝેશન ઓપરેશન અને 1,223 પુરુષોએ નસબંધી કરાવી છે.
રાજ્યમાં વસ્તી નિયંત્રણ માટે વધુમાં વધુ જાગૃકતા કેળવાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા 27 જુનથી 10 મી જુલાઇ દરમિયાન દંપતિ સંપર્ક પખવાડિયુ ઉજવાયું હતું. હવે 11 જુલાઇ થી 24 જુલાઇ જન સંખ્યા સ્થિરતા પખવાડિયું ઉજવવામાં આવશે.












Click it and Unblock the Notifications
