પાંચ વર્ષ પછી પાકિસ્તાની જેલમાંથી મુક્ત થયો ભારતીય એન્જીનિયર
પિતાની સારવાર માટે મુંબઇની એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં સોફ્ટવેર એન્જીનિયરના પદે નોકરી કરી રહેલા ભાવેશ અધિકારીઓ પાસે રજા માંગી હતી પરંતુ તેને આપવામાં આવી ન હતી. જેથી તેને રાજીનામું આપી દિધું હતું. પિતાના અવસાન બાદ તે પરેશાન થઇ ગયો હતો. હંસાબેન રોજગારની શોધમાં તે થોડા સમય માટે બહાર ગયા હતા. થોડાં દિવસો પછી પડોશીઓએ જણાવ્યું હતું કે ભાવેશ ક્યાંક જતો રહ્યો છે. ભાવેશની માતા ઘરે પાછી ફરી અને પુત્રની શોધ આદરી હતી પરંતુ તે મળ્યો ન હતો.
આ વર્ષે ફેબ્રુઆરીમાં પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા એક કેદી રામ રાજીના દ્રારા ભાવેશે તેની માતાને પત્ર મોકલ્યો હતો. હંસાબેને તાત્કાલીક મુંબઇના ધારાસભ્ય કૃષ્ણા હેગડે અને સાંસદ પ્રિયા દત્તા સાથે વાતચીત કરી. બંનેને વિદેશ મંત્રી એમ કૃષ્ણા અને વિદેશ રાજ્ય મંત્રી પરનીત કૌર સાથે વાતચીત કરી પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક સાધ્યો. દસ મહિનાના પ્રયત્ન બાદ ભારતીય દૂતાવાસે જણાવ્યું કે ભાવેશને 25 ઑક્ટોબરે મુક્ત કરવામાં આવશે. તો બીજી તરફ ભાવેશે જણાવ્યું છે કે તે પાકિસ્તાન કેવી રીતે પહોંચ્યો તેને યાદ નથી.