Cyclone Biparjoy: વાવાઝોડા બિપરજોય સમયે વિકટ સ્થિતિમાં ચાલવા માટે ગામ લોકોએ કર્યો અનોખો જુગાડ
Cyclone Biparjoy: ચક્રવાતી તોફાન બિપરજોય હવે દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતના સ્થાનિક લોકો અને અધિકારીઓ વાવાઝોડાની અસરને ઓછી કરવાની તૈયારીમાં લાગેલા છે. ત્યારે ભારે નુકસાનની સંભાવનાને પગલે જામનગરના રસુલનગર ગામમાં લોકોએ ભારે પવન અને વરસાદમાં ચાલવા માટે દોરડા મુકી દીધા છે.
ગામમાંથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ચક્રવાતને કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગામલોકો ઘરો અને રસ્તાઓ સાથે દોરડા બાંધી રહ્યા છે.

ચક્રવાત 'બિપરજોય' 15 જૂને બપોરે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ગુજરાતના જખાઉ બંદર નજીકથી પસાર થવાની ધારણા છે, એમ ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું. ચક્રવાત અરબી સમુદ્રમાં સૌથી લાંબો સમય સક્રિય બનવાની સંભાવના છે અને મહત્તમ 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે દરિયાકાંઠે અથડાશે.
વાવાઝોડાની દસ્તક પહેલા, IMD એ બુધવારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે ભારે નુકસાન થવાની આશંકા છે.
તેમજ ગુજરાતના કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લાના ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ, વાવાઝોડા અને તીવ્ર પવન સાથે, ઘરો, રસ્તાઓ, પાક, વીજળી અને સંદેશાવ્યવહાર પ્રણાલીને વ્યાપક નુકસાન પહોંચાડી શકે છે, અધિકારીઓ અસરોને ઘટાડવાની તૈયારી કરી રહ્યા છે.
#WATCH | Gujarat | Residents of Rasulnagar village in Jamnagar put up ropes across their village as a measure to ensure their movement while braving the strong winds and heavy rainfall that is likely to be experienced during #CycloneBiparjoy. pic.twitter.com/xCrZOYGHHY
— ANI (@ANI) June 14, 2023












Click it and Unblock the Notifications
