જન્માષ્ટમીની રજાઓ માટે એસટી નિગમ એક્શનમાં, વધારાની 1200 બસો દોડાવશે
શ્રાવણ માસના પવિત્ર તહેવારો ખાસ કરીને સાતમ-આઠમ અને જન્માષ્ટમીની ઉજવણી માટે લોકો પોતાના વતન અથવા ધાર્મિક સ્થળોએ જાય છે.
આ મુસાફરી વધુ સરળ બનાવવા માટે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (એસ.ટી. નિગમ) દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ વર્ષે એસટી નિગમ દ્વારા દૈનિક 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ અંદાજે બે લાખથી વધુ મુસાફરોને મળવાની અપેક્ષા છે.
આ વર્ષે જન્માષ્ટમીના તહેવારો દરમિયાન 1200 જેટલી એક્સ્ટ્રા બસો મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા, અને વડોદરા જેવા મોટા શહેરોને જોડશે.
આ ઉપરાંત જન્માષ્ટમીના મહત્વના ધાર્મિક સ્થળો જેવા કે ડાકોર, દ્વારકા અને શામળાજી માટે પણ જરૂરિયાત મુજબ વિશેષ બસો ચલાવવામાં આવશે. જિલ્લા અને તાલુકા કક્ષાના સ્થળો પર પણ મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને બસો દોડાવાશે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ વર્ષે ગત વર્ષ કરતાં વધુ બસોનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે 1000 ટ્રીપોનું આયોજન થયું હતું, જ્યારે આ વર્ષે આ સંખ્યા વધારીને 1200 કરવામાં આવી છે, જે મુસાફરોની વધતી સંખ્યાને પહોંચી વળવા માટેનો સારો પ્રયાસ છે.












Click it and Unblock the Notifications
