વીડિયો જારી કરીને ઘરે પહોંચાડવાની આજીજી કરનાર મજૂરનુ અમદાવાદમાં મોત
લૉકડાઉન બાદ ગુજરાતમાં ફસાયેલા ઝારખંડના મજૂરી પરવેઝ અનસારીનુ અમદાવાદની હોસ્પિટલમાં મોત થઈ ગયુ છે.
લૉકડાઉન બાદ ગુજરાતમાં ફસાયેલા ઝારખંડના મજૂરી પરવેઝ અનસારીનુ અમદાવાદની હોસ્પિટલમાં મોત થઈ ગયુ છે. પરવેઝ ટીબીથી પીડિત હતો. હાલમાં જ એક વીડિયો તેણે જારી કર્યો હતો જેમાં તે ઘરે પહોંચાડવાની આજીજી પ્રશાસનને કરી રહ્યો હતો. વીડિયોમાં પણ પરવેઝ ખૂબ જ નબળો પડી ગયો હતો અને બરાબર બોલી પણ શકતો નહોતો. બિમાર હોવાની વાત કહીને તે પોતાના ઘરે, રાંચી મોકલવાની આજીજી કરી રહ્યો હતો. વીડિયો સોશિયલ મીડિયા થયા બાદ તેને પ્રશાસને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભરતી કર્યો હતો.

ગુરુવારે રાતે થયુ મોત
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ગુરુવારની રાતે 19 વર્ષના પરવેઝનુ મોત થઈ ગયુ. પોલિસે જણાવ્યુ કે પરવેઝને ગયા રવિવારે બાબરી કૉલોનીથી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. પરવેઝનો સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક ઑફિસરોનુ ધ્યાન આ તરફ ધ્યાન ગયુ હતુ અને તેમણે પોલિસની ટીમ મોકલીને પરવેઝને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
વીડિયોમાં બોલી પણ નહોતો શકતો પરવેઝ
જે વીડિયો પરવેઝનો વાયરલ થઈ રહ્યો હતો તેમાં પરવેઝ અનસારી ખૂબ જ નબળો દેખાઈ રહ્યો હતો. વીડિયોમાં સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાની વાત કરીને પરવેઝ ઘરે મોકલવાની અપીલ કરી હતી. હોસ્પિટલમાં પરવેઝનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો કે જે નેગેટીવ આવ્યો હતો. ડૉક્ટરોએ પરવેઝ અનસારીને ટીબી હોવાની માહિતી આપી હતી. પરવેઝે દોઢ વર્ષ પહેલા અમદાવાદ આવીને અહીં ડિસ્પોઝલ ગ્લાસ બનાવતી કંપનીમાં કામ શરૂ કર્યુ હતુ. લૉકડાઉન બાદ કામ બંધ થઈ ગયુ તો પરવેઝની સ્થિતિ બગડી ગઈ.

દેશભરમાં ફસાયા છે મજૂર
દેશમાં છેલ્લા એક મહિનાથી લૉકડાઉન છે. દેશના મોટા શહેરોમાં મજૂરો ફસાયેલા છે. મજૂરોને ઘરે મોકલવા વિશે ઘણા રાજકીય દળો અને સંગઠન માંગ કરી રહ્યા છે. સુરત, મુંબઈ, દિલ્લીમાં મજૂર આ વિશે પ્રદર્શન પણ કરી ચૂક્યા છે. વળી, કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા હવે 25 હજારથી વધી ગઈ છે. આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ ભારતમાં કોરોના વાયરસ પૉઝિટીવ કેસોની સંખ્યા 24506 થઈ ગઈ છે અને 775 લોકોના મોત થયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
