Junagadh : ગિરનાર ગોરખનાથ મૂર્તિ ખંડિત મામલે ચૌકાવનારો ખુલાસો
Junagadh : ગિરનાર પર્વત પર સ્થિત ગુરુ ગોરખનાથજીની પ્રતિમાને ખંડિત કરવાના ઘૃણાસ્પદ કૃત્યમાં એક મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે.
5 ઓક્ટોબરે બનેલી આ ઘટનાને કારણે સમગ્ર ગુજરાત સહિત દેશભરના સાધુ-સંતો અને ધર્મપ્રેમીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે હવે આ મામલે પોલીસ તપાસમાં સનસનાટીપૂર્ણ વિગતો સામે આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ, ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરવાના આ જઘન્ય કૃત્યમાં મંદિરના જ પગારદાર પૂજારી અને એક દુકાનદાર રમેશની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. આ બંને વ્યક્તિઓએ મળીને ગોરખનાથજીની મૂર્તિને ખંડિત કરી અને તેને જંગલ વિસ્તારમાં ફેંકી દીધી હતી.
આ ચોંકાવનારા ખુલાસા બાદ સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે, મંદિરના જ પગારદાર પૂજારી અને એક દુકાનદારે આ ધૃણાસ્પદ કૃત્ય શા માટે આચર્યું? તેમની પાછળનો હેતુ શું હતો? શું કોઈ અંગત વૈમનસ્ય, આર્થિક લેવડદેવડ કે અન્ય કોઈ મોટું કાવતરું સંકળાયેલું છે?
પોલીસ દ્વારા આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ આ કૃત્ય કરવા પાછળનું સાચું કારણ અને તેની સંપૂર્ણ વિગતો સત્તાવાર રીતે સામે આવશે.
ઉલ્લેખનીય છે કે, પવિત્ર ગિરનાર પર્વત પર બનેલી મૂર્તિ ખંડિત કરવાની આ ઘટનાને કારણે લાખો ભાવિકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેનાથી કાયદાનું શાસન જળવાઈ રહે અને ધાર્મિક સ્થળોની પવિત્રતા સુરક્ષિત રહે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
