કન્હૈયા કુમાર અને જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસી બન્યા, રાહુલ ગાંધીને પાર્ટીનું સભ્યપદ મળ્યું
CPI નેતા કન્હૈયા કુમાર, જેમણે ભાજપ અને કેન્દ્ર સરકારને અનેક મોરચે ઘેરી લીધા હતા, તેઓ આજે (મંગળવારના રોજ) કોંગ્રેસમાં જોડાયા છે. કન્હૈયા ઉપરાંત ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસી બન્યા છે.
નવી દિલ્હી : જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયનના ભૂતપૂર્વ પ્રમુખ અને CPI નેતા કન્હૈયા કુમાર, જેમણે ભાજપ અને કેન્દ્ર સરકારને અનેક મોરચે ઘેરી લીધા હતા, તેઓ આજે (મંગળવારના રોજ) કોંગ્રેસમાં જોડાયા છે. કન્હૈયા ઉપરાંત ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કોંગ્રેસી બન્યા છે. કન્હૈયા કુમાર કોંગ્રેસી બને તે પહેલા જ નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર મોટા બેનરો લાવવામાં આવ્યા હતા. બંને યુવા નેતાઓ નવી દિલ્હીમાં કાર્યાલયમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા.
જે પોસ્ટર્સ સામે આવ્યા છે, તેમાં રાહુલ ગાંધી અને કન્હૈયા કુમારને સાથે બતાવવામાં આવ્યા છે. આવા સમયે બેનર પર લખવામાં આવ્યું છે, કન્હૈયા કુમારનું કોંગ્રેસ પાર્ટીમાં આગમન પર હાર્દિક સ્વાગત છે. પાર્ટીમાં જોડાતા પહેલા કોંગ્રેસ કાર્યાલયની સામે આ પોસ્ટરો પરથી નક્કી કરવામાં આવ્યું હતું કે, કન્હૈયા કુમાર અને જિજ્ઞેશ આજે કોંગ્રેસી બનશે. મંગળવારની બપોરે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શહીદ એ આઝમ ભગતસિંહ પાર્ક પહોંચ્યા હતા, તે દરમિયાન તેમની સાથે CPI નેતા કન્હૈયા કુમાર અને ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પણ હતા.
CPI leader Kanhaiya Kumar and Gujarat MLA Jignesh Mewani joins Congress in the presence of Rahul Gandhi in New Delhi pic.twitter.com/7t0tf8lqmp
— ANI (@ANI) September 28, 2021
કોંગ્રેસ આના દ્વારા પાર્ટી છોડવાના યુવા નેતાઓની ધારણાને બદલવાનો પ્રયાસ કરી રહી છે. જે કારણે JNU વિદ્યાર્થી સંઘના ભૂતપૂર્વ પ્રમુખ કન્હૈયા કુમાર હજૂ પણ તેમના ઈરાદાને લઈને તેમના પક્ષના નેતાઓને ફેરવવામાં વ્યસ્ત છે. હવે આવી માહિતી આવી છે કે, તેમણે પાર્ટીમાં રહેવા માટે અમુક હોદ્દાની માંગણી કરી છે. એક અહેવાલ મુજબ, કોંગ્રેસમાં જોડાવાની "અટકળો" દૂર કરવા માટે કન્હૈયા કુમાર મંગળવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સ દ્વારા દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટર અજોય ભવનમાં આવવાના હતા. CPIના એક નેતાએ કહ્યું કે, તેમને આવું કરવા માટે સૂચના આપવામાં આવી હતી પરંતુ કન્હૈયાના સહાયકો તેની રાહ જોતા રહ્યા હતા.