Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બોટાદ લઠ્ઠાકાંડ મુદ્દે કેજરીવાલના ગુજરાત સરકારને સવાલ, દારૂબંધી છે તો લઠ્ઠો કેવી રીતે વેચાયો?

બોટાદ જિલ્લામાં નકલી દારૂ પીવાથી 29 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 40થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં અહીં નકલી દારૂનું વેચાણ થતું હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.

અમદાવાદ : બોટાદ જિલ્લામાં નકલી દારૂ પીવાથી 29 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 40થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ છે. ગુજરાતમાં દારૂબંધી અમલમાં હોવા છતાં અહીં નકલી દારૂનું વેચાણ થતું હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આજની દુ:ખદ ઘટના પર વિરોધ પક્ષો સત્તાધારી ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. ગુજરાત આવેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ અંગે શોક વ્યક્ત કરતું નિવેદન આપ્યું હતું.

Kejriwal

દિલ્હીના મુખ્યમંત્રીએ આજે ​​કહ્યું કે, મને હમણાં જ ખબર પડી છે કે એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે - અહીં 25 થી વધુ લોકો નકલી દારૂ પીવાથી મૃત્યુ પામ્યા છે અને અન્ય ઘણા લોકો હોસ્પિટલમાં દાખલ છે. હું તેઓને ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરું છું. આ પછી કેજરીવાલે કહ્યું કે, સવાલ એ છે કે જો ગુજરાત ડ્રાય સ્ટેટ છે તો અહીં ખુલ્લેઆમ દારૂ કેવી રીતે વેચાય છે અને તેનો ફાયદો કોને થઈ રહ્યો છે? ગુજરાતમાં આ પહેલીવાર નથી. શા માટે સરકાર આ તરફ ધ્યાન નથી આપી રહી કે તેની પાછળ કોઈ ષડયંત્ર છે?'

કેજરીવાલ ઉપરાંત તેમની પાર્ટી આમ આદમી પાર્ટીએ પણ આ ઘટનાને લઈને ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. આમ આદમી પાર્ટી તેને દિલ્હી સરકારની દારૂ વેચવાની નીતિઓ પર ઉઠાવવામાં આવી રહેલા સવાલ સાથે જોડી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરક્ષ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ત્યાં (ગુજરાતમાં) નેતાઓના રક્ષણમાં દારૂનું નેટવર્ક ચાલી રહ્યું છે.

તેમણે કહ્યું કે, ગુજરાત ડ્રાય સ્ટેટ છે, છતાં છેલ્લા 15 વર્ષમાં નકલી દારૂ પીવાથી 845થી વધુ લોકોના મોત થયા છે. આટલું મોટું સંગઠિત નેટવર્ક કયા રાજકારણીઓના આશ્રય હેઠળ ચાલે છે? કેટલાક લોકો ગુજરાત જેવું દિલ્હી ઈચ્છે છે. દિલ્હીમાં પણ નકલી અને ઝેરી દારૂ વેચાય. જ્યારથી દિલ્હી સરકાર નવી એક્સાઇઝ પોલિસી લાવી છે ત્યારથી આ લોકો ખૂબ જ નારાજ છે.

AAPના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, તેઓ કાયદેસરની દુકાનો હટાવીને એ જ જૂનો બિઝનેસ શરૂ કરવા માગે છે. દિલ્હીમાં દારૂની 468 દુકાનો છે, જે પહેલા કરતા ઓછી છે. છતાં દિલ્હી સરકારની એક્સાઈઝ નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે.

રાજકીય નિષ્ણાતો માને છે કે ગુજરાતમાં બનેલી આ ઘટનાએ કેજરીવાલને તેમની એક્સાઈઝ નીતિને યોગ્ય ઠેરવવાની તક પૂરી પાડી છે. હવે દિલ્હી સરકાર કહી શકશે કે લોકોને યોગ્ય કિંમતે યોગ્ય ગુણવત્તાનો દારૂ મળી રહે તે સારું છે, જેથી આવી ઘટનાઓને રોકી શકાય. ગુજરાતના કિસ્સામાં નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ આ ઘટના પર તરત જ સક્રિય થયા હતા અને નકલી દારૂ પીવાથી થયેલા મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ભાવનગર જશે અને પીડિત પરિવારોને મળશે. જ્યારે આ જ ઘટના પર ગુજરાતના મુખ્યમંત્રીએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ગુજરાત સરકારે આ ઘટના અંગે ઝડપી કાર્યવાહી કરી છે. સાંજે પોલીસે જણાવ્યું કે મુખ્ય આરોપીઓ સહિત 14ની ધરપકડ કરવામાં આવી છે. સરકાર દ્વારા આતંકવાદ વિરોધી સ્ક્વોડ (ATS) ને કેસોની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે અને એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવે તેવી શક્યતા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X