કેશુભાઇનો મોદીને પ્રશ્નઃ પહેલા તમારો વિદેશ ખર્ચ જાહેર કરો

અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે તાજેતરમાં મોદીએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસ પર જે ખર્ચ થયો છે તેનો જવાબ કેન્દ્ર આપે. તેમણે એમ પણ કહ્યું હતું કે સોનિયા ગાંધીના વિદેશ પ્રવાસ પાછળ 1800 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જ્યારે વડોદરાના આરટીઆઇ કાર્યકર્તા તૃપ્તિ શાહે મોદી અને તેમના કેબિનેટના મંત્રીઓ દ્વારા 2007માં જે સંમેલનો યોજ્યા તેમાં જે પ્રવાસ ખર્ચ થયો છે, તેની માહિતી માંગી હતી. જ્યારે કેશુભાઇને તેમની પાર્ટીને ચૂંટણી સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, તો કેશુભાઇએ કહ્યું છે કે જીપીપી તમામ 182 બેઠક પરથી ચૂંટણી લડશે.
પટેલે કહ્યું, " ગરિબ કલ્યાણ મેળા કરવામાં આવ્યાં હોવા છતાં પણ રાજ્યના ગરિબ લોકોનો ઉદ્ધાર થયો નથી અને તેઓ ખુશ નથી. હું લોકોના સ્વભાવને ભાપી ગયો છું અને એ ખાતરીપૂર્વક કહીં શકુ છું કે આગામી ચૂંટણીમાં લોકો, જાતિ, જ્ઞાતિ અને ધાર્મિક મુદ્દાને બાજૂએ મુકીને મતદાન કરશે." જીપીપીએ રાજકોટના વિરપુરથી પોતાની પરિવર્તન સંદેશ યાત્રાની શરૂઆત કરી હતી. કેશુભાઇએ કહ્યું છે કે તેમની આ યાત્રા પ્રથમ તબક્કામાં જુનાગઢ, અમરેલી અને રાજકોટમાં ફરશે અને ત્યારબાદ બીજા તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર અન ભાવનગરમાં ફરશે.












Click it and Unblock the Notifications
