For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરેન્દ્રનગરમાં કેશુભાઇની યાત્રાને નિરાશાજનક આવકાર

|
Google Oneindia Gujarati News

keshubhai patel
સુરેન્દ્રનગર, 07 ઑક્ટોબરઃ સુરેન્દ્રનગરમાં કેશુભાઇ પટેલની પરિવર્તન યાત્રાને જોઇએ તેવો પ્રતિસાદ મળ્યો નથી. થાનગઢમાં ઘટેલી ઘટના અને ખેડુતોના આત્મહત્યાના કિસ્સાઓના કારણે એવી આશા પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા સેવવામાં આવી હતી કે, સુરેન્દ્રનગરમાં તેમને સારો પ્રતિસાદ મળશે, પરંતુ તેઓ નિરાશ થયા છે.

સુરેન્દ્રનગરમાં કેશુભાઇ પટેલે ફરી એક વખત નર્મદાનો મુદ્દો ઉછાળ્યો હતો અને કહ્યું હતું કે, તેમના શાસનકાળ દરમિયાન નર્મદાનું પાણી જિલ્લામાં માટે એકઠું કર્યું હતું પરંતુ છેલ્લા 12 વર્ષમાં મોદીના શાસન હેઠળ કેનાલો ખાલી છે, તેમાં પાણી નથી. જો જીપીપી સત્તા પર આવશે તો ફરીથી આ કેનાલોમાં પાણી ઓવર ફ્લો થશે.

તેમણે કહ્યું કે, હાલ પાણી લેનારાઓને ચોર ગણાવવામાં આવે છે અને જેલમાં ધકેલી દેવામાં આવે છે, પરંતુ જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે નર્મદાના પાણીની પ્રાથમિકતા ખેડુતોની હતી, અમે તે સમય પાછો આપીશું.

English summary
GPP senior lobby disappointed after keshubhai parivartan rally not get enough response.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X