કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના વિકાસ માટે એક મહત્વની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે કચ્છમાં નેશનલ હાઈવે-754K ના નવીનીકરણ માટે ₹650.42 કરોડનું ફંડ મંજૂર કર્યું છે.
આ પ્રોજેક્ટ હેઠળ લખપત, ગડુલી, હાજીપીર અને ખાવડાથી ધોળાવીરા સુધીનો 165.58 કિમી લાંબો રોડ તૈયાર કરવામાં આવશે. આ માર્ગને 'પેવ્ડ શોલ્ડર' સાથે ટુ-લેન હાઈવેમાં ફેરવવામાં આવશે જેથી કનેક્ટિવિટી વધશે.

નવો હાઈવે બનવાથી કચ્છના સફેદ રણ અને પ્રવાસન સ્થળો સુધી પહોંચવું પ્રવાસીઓ માટે હવે ઘણું સરળ બનશે. આ માર્ગ કચ્છના આંતરિયાળ વિસ્તારોને ગુજરાતના અન્ય મુખ્ય જિલ્લાઓ સાથે સીધા જોડવાનું કામ કરશે.
કચ્છમાં દર વર્ષે યોજાતા સાંસ્કૃતિક ઉત્સવો અને રણોત્સવ માટે આ નવો કોરિડોર પરિવહનનું મુખ્ય માધ્યમ સાબિત થશે. પ્રવાસન ઉપરાંત આ હાઈવેથી સ્થાનિક રોજગારી અને આર્થિક ગતિવિધિઓને પણ મોટો વેગ મળશે.
આ હાઈવે કચ્છના મુખ્ય ખનીજ અને મીઠાના ઉદ્યોગ માટે માલસામાનની હેરફેરને અત્યંત ઝડપી અને સુગમ બનાવશે. જેના કારણે પરિવહન ખર્ચમાં ઘટાડો થશે અને પ્રાદેશિક વેપારમાં મોટી વૃદ્ધિ જોવા મળશે.
હાલના રસ્તાઓ પર ટ્રાફિક અને અકસ્માતોનું જોખમ રહેતું હોય છે, જે આ નવા અપગ્રેડેશન બાદ ઘટશે. પેવ્ડ શોલ્ડર સાથેનો ટુ-લેન રોડ વાહન ચાલકો માટે સુરક્ષિત મુસાફરીની ખાતરી આપશે.
આ આધુનિક રોડ નેટવર્કથી વાહનોનું મેઈન્ટેનન્સ ઘટશે અને ઈંધણની પણ મોટી બચત થઈ શકશે. એકંદરે આ પ્રોજેક્ટ કચ્છના સરહદી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ગેમ ચેન્જર સાબિત થશે.












Click it and Unblock the Notifications
