ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઈનામી જમીનોના અનધિકૃત કબજા નિયમિત કરી શકાશે

ગુજરાત સરકારે મહેસૂલ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યમાં આવેલી વિવિધ પ્રકારની ઈનામી જમીનોના અનધિકૃત કબજાને હવે કાયદેસર રીતે નિયમિત કરવામાં આવશે.

આ નિર્ણય મુજબ જે જમીનો રી-ગ્રાન્ટ થઈ ગઈ છે અથવા પાત્ર હોવા છતાં બાકી છે, તેને સરળતાથી નિયમિત કરી શકાશે. આ માટે સરકારે વર્તમાન જંત્રીના ૨૦ ટકા રકમ ભરીને કબજા હક મેળવવાની જોગવાઈ કરી છે.

જે ખેડૂતોએ અગાઉ કબજા ફી નથી ભરી અથવા જેમના વારસદારોના નામે હજુ જમીન ટ્રાન્સફર નથી થઈ, તેમને આનો સીધો લાભ મળશે. આ પ્રક્રિયાથી વર્ષોથી લટકતા જમીનના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે.

જો આવી જમીનો ભૂતકાળમાં અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવી હોય અને હાલ તે ત્રીજી વ્યક્તિના કબજામાં હોય, તો તેમને પણ રાહત મળશે. સરકારના આ પગલાથી રાજ્યભરના હજારો ખેડૂત પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X