અમદાવાદ કાકરિયા કાર્નિવલનું 2 વર્ષ બાદ કરવામાં આવશે આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતે કાંકરીયા કાર્નિવલનું ઉદ્દઘાટન કરવામાં આવશે. કોરોના કાળમાં 2 વર્ષ સુધી તેનું આયોજન કરવામાં આવ્યુ નહોતુ. શહેરીજનો માટે આ કાર્નિવલમાં પ્રવેશ એકદમ ફ્રી રાખવામાં આવશે.
અમદાવાદ કાકરિયા કાર્નિવલને લઇને નગરીકો માટે સારા સમચારા આવ્યા છે. અમદાવાદ કાકરિયા કાર્નિવલને 2 વર્ષ બાદ ફરી યોજવામા આવશે. કોરોના કાળને લીધે કાકરીયા કાર્નિવલ પર ગ્રહણ લાગ્યુ હતુ. છેલ્લા ત્રણ વર્ષથી કાર્નિવલ બંધ હતો. આ વર્ષે ફરી કાર્નિવલને શરૂ કરવામાં આવશે જેમા વિવિધ પ્રકારના સાસ્કૃતિક કાર્યક્રમો તેમજ લેસર શો જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 25 ડિસેમ્બરના રોજ કાંકરીયા કાર્નિવાલનું ઉદ્દઘાટન કરશે. કોરોના કારળમાં છેલ્લા બે વર્ષથી કાર્નિવલ યોજી શક્યા નથી. હવે બે વર્ષના 'બ્રેક' ફરી કાંકરીયા કાર્નિવલ માટે મ્યનિ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છએ. શહેરજનો કાંકરીયા કાર્નિવલ માણી શકશે નાના બાળકો રમતગમતની મજા માણી શકશે. તેમના માટે બાળ નગરી પણ બનાવામાં આવશે.
ચાલુ વર્ષે આતશબાજી યોજવામાં આવશે નહી. લેસર શો, મલ્ટીમીડિયા શો વિવિધ સાસંકૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે ્ને નામાંકિત કલાકારો ડાયરાની મોજ કરાવશે. કાંકરીયા કાર્નિવલ દરમિયાન મુલાકાતિઓને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.
કાંકરિયા કાર્નિવલમાં લગભગ 20 લાખથી વધારે લોકો આવતા હોય છે. બે વર્ષ બાદ કાંકરિયા કાર્નિવલ યોજવામાં આવશે એટલે માટે દરરોજ 2.50 લાખ લોકો મુલાકાત લે તેવી શક્યાતાને પગલે યોગ્ય વ્યવસ્થા કરાઇ છે. કાંકરિયા કાર્નિવલમાં પુષ્પકુંજ, બાલવાટિકા વ્યાયામ વિદ્યાલય ગેટ ત્રણ જગ્યાએ સ્ટેજ બનાવામાં આવશે. મ્યુનિ અને ખાનગી સ્કુલના બાળકો અને કલાકારો વિવિધ સાસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે.












Click it and Unblock the Notifications
