Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતના નેતાઓએ આપી પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ, જાણો કોને શું કહ્યું?

Manmohan Singh: ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરૂવારની રાત્રે નિધન થયું હતું. જે કારણે સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમણે દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે.

Manmohan Singh

ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કરવા કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.

વિવિધ જવાબદારીઓ નિભાવતી વખતે તેમણે દેશના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના આત્માને શાંતિ મળે અને ભગવાન તેમના પરિવાર અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ દુખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંઘના નિધનના સમાચાર અત્યંત દુ:ખદ છે.

અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તેમના ચરણોમાં સ્થાન આપે અને તેમના પરિવારને આ અપાર ખોટ સહન કરવાની શક્તિ આપે, ઓમ શાંતિ.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધન પર શોક પ્રગટ કરતા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ જી એક વિદ્વાન અર્થશાસ્ત્રી અને નમ્ર અને સરળ સ્વભાવના રાજકારણી હતા. તેઓ ભારતીય અર્થવ્યવસ્થાને ઉદાર બનાવવા અને તેમાં નવા જીવનનો શ્વાસ લેવા માટે જાણીતા છે.

જ્યારે વિશ્વના તમામ દેશોમાં આર્થિક મંદીનો સમય હતો ત્યારે મનમોહન સિંહજીએ પોતાની બુદ્ધિમત્તાથી ભારતને આર્થિક મંદીના આંચકામાંથી ઉગારીને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારતનો ધ્વજ પ્રસ્થાપિત કર્યો હતો.

તેમના નેતૃત્વમાં ભારતે ઘણા આર્થિક અને સામાજિક ફેરફારો જોયા. મને ગુજરાતના વિરોધ પક્ષના નેતા અને રાજ્યસભામાં મારા સાથીદાર તરીકે ડૉ. મનમોહન સિંહજી સાથે કામ કરવાની તક મળી.

ડૉ. મનમોહન સિંઘજીનું નિધન એ દેશ માટે અપુરતી ખોટ છે. તેઓ માત્ર રાજકારણી જ નહોતા પણ પ્રેરણાના સ્ત્રોત પણ હતા. હું દેશના મહાન વ્યક્તિત્વને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

કોંગ્રેસ નેતા જીગ્નેશ મેવાણીએ શોક પ્રગટ કરતા લખ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ જીના નિધનની ખબર સાંભળીને દુઃખ થયું.

અમલદારશાહી અને રાજકારણમાં તેમની લાંબી અને પ્રસિદ્ધ કારકિર્દી એવા સુધારાઓથી ભરેલી હતી જેણે ભારતને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું.

ભારતના વિકાસમાં તેમના યોગદાનની સાથે સાથે, તેમને તેમના ગૌરવપૂર્ણ વર્તન, જાહેર સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા, ગહન શાણપણ અને નમ્રતા માટે હંમેશા યાદ કરવામાં આવશે. દુઃખના આ સમયમાં તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સંવેદના.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X