નેતાઓની ભક્તિ : એક જગન્નાથના ચરણોમાં તો એક માં અંબાના
ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ અને કોંગ્રેસ બંન્ને બતાવ્યો તેમની આસ્થા. પીએમ મોદી પહોંચ્યા અંબાજી તો રાહુલ ગાંધી પહોંચ્યા જગન્નાથ મંદિર. વધુ વાંચો
ગુજરાતમાં હાલ બે કામ જ થાય છે ઠેર ઠેર જનસભામાં અને નેતાઓની આ મંદિરથી તે મંદિરની મુલાકાત. જો કે તેમાં કાંઇ ખોટું પણ નથી દરેકની આસ્થાનો સવાલ છે. પહેલા PM મોદી તો આવી મુલાકાતો કરતા જ હતા હવે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા છે. રાહુલ ગાંધીએ આ 3 મહિનાની અંદર નાના મોટા કરીને ગુજરાતના 30 થી વધુ મંદિરોમાં દર્શન કરી લીધા છે. અને લાગે છે કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી પણ લીધી છે માટે તો ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની જીત થાય કે ના થાય તે પહેલા જ તેમને કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે.
जगन्नाथ मंदिर में आरती करते @OfficeOfRG @ashokgehlot51 @INCGujarat @INCIndia pic.twitter.com/W2Xy98Ra1U
— Kumar Vikrant Singh (@KumarVikrantS) December 12, 2017
ત્યારે આજે પણ જોગાનુંજોગ દેશની બે મોટી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં અલગ અલગ મંદિરમાં ભગવાનની ચરણોમાં શિશ ઝૂકાવતા નજરે પડી રહ્યા છે. જેના લીધે કરીને સામાન્ય ભક્તોને દર્શન માટે અટકાવવું પડ્યું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ તો આજે માં અંબાના દર્શન કરવા માટે એક નવો જ ચીલો ચીતર્યો હતો. આજે પીએમ મોદી સી પ્લેન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટથી ઉડીને ધરોડ ડેમ પહોંચ્યા હતા. અને અહીં તેમણે રોડ માર્ગે અંબાજી પહોંચી દર્શન કર્યા હતા.
PM @NarendraModi's visits Ambaji Mandir and offers prayers https://t.co/lA6nEFwKlj
— BJP Gujarat (@BJP4Gujarat) December 12, 2017
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી










Click it and Unblock the Notifications
