For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેતાઓની ભક્તિ : એક જગન્નાથના ચરણોમાં તો એક માં અંબાના

ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ અને કોંગ્રેસ બંન્ને બતાવ્યો તેમની આસ્થા. પીએમ મોદી પહોંચ્યા અંબાજી તો રાહુલ ગાંધી પહોંચ્યા જગન્નાથ મંદિર. વધુ વાંચો

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં હાલ બે કામ જ થાય છે ઠેર ઠેર જનસભામાં અને નેતાઓની આ મંદિરથી તે મંદિરની મુલાકાત. જો કે તેમાં કાંઇ ખોટું પણ નથી દરેકની આસ્થાનો સવાલ છે. પહેલા PM મોદી તો આવી મુલાકાતો કરતા જ હતા હવે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જોડાયા છે. રાહુલ ગાંધીએ આ 3 મહિનાની અંદર નાના મોટા કરીને ગુજરાતના 30 થી વધુ મંદિરોમાં દર્શન કરી લીધા છે. અને લાગે છે કે ભગવાને તેમની પ્રાર્થના સાંભળી પણ લીધી છે માટે તો ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની જીત થાય કે ના થાય તે પહેલા જ તેમને કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે.

ત્યારે આજે પણ જોગાનુંજોગ દેશની બે મોટી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં અલગ અલગ મંદિરમાં ભગવાનની ચરણોમાં શિશ ઝૂકાવતા નજરે પડી રહ્યા છે. જેના લીધે કરીને સામાન્ય ભક્તોને દર્શન માટે અટકાવવું પડ્યું. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા. પીએમ મોદીએ તો આજે માં અંબાના દર્શન કરવા માટે એક નવો જ ચીલો ચીતર્યો હતો. આજે પીએમ મોદી સી પ્લેન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટથી ઉડીને ધરોડ ડેમ પહોંચ્યા હતા. અને અહીં તેમણે રોડ માર્ગે અંબાજી પહોંચી દર્શન કર્યા હતા.

English summary
Leaders Temple Diplomacy : PM Narendra modi at Ambaji and Rahul Gandhi at Jagannath Temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X