આઝાદીના નારા લગાવનારને દેશ છોડીને જવા દોઃ નીતિન પટેલ
આઝાદીના નારા લગાવનારને દેશ છોડીને જવા દોઃ નીતિન પટેલ
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે જે લોકોએ સ્વતંત્રતાના નારા લગાવ્યા હતા, તે લોકોને દેશ છોડીને જવું છે તો જવા દેવા જોઇએ.
નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા એક કાર્યક્રમમાં નિતિન પટેલ હાજર રહ્યા હતા જે દરમ્યાન તેમણે નાગરિકતા સંશોધન બિલ અંગે વાતકરી હતી જેમાં વધુમાં તેમણે જણાવ્યું હતુ કે જે લોકો CAA નો વિરોધ કરી રહ્યા છે અને સ્વતંત્રતાની માંગ સાથે નારા લગાવી રહ્યા છે તેમને દેશ છોડવા દેવો જોઇએ. તેમને એ પણ કહ્યું હતું કે 'દેશને આઝાદી 1947માં મળી ગઇ છે.’ તેમ છતા કેટલાક લોકો એકઠ્ઠા થઇ આઝાદીના નારા લગાવી રહ્યા છે. મને એ નથી સમજાતું કે તમારે કોનાથી આઝાદી જોવે છે...? શુ તમારે તમારા માઁ-પિતાથી આઝાદી જોવે છે...? શુ તમારા પતિથી આઝાદી જોવે છે....? તેમ કહેતા તેમણે તહ્યું હતું કે ભારત એક આઝાદ અને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે. "
BJP નેતાએ વધુમાં કહ્યું હતુ કે જે લોકો ભારતથી આઝાદી ઇચ્છે છે તે લોકો સીમા બહાર જ્યા જવું હોય ત્યાં જવા દેવા જોઈએ." તેમણે એમ પણ આરોપ લગાવ્યો કે અમદાવાદમાં CAA વિરોધ પ્રદર્શન દરમિયાન અગાઉની યોજના મુજબ હુમલો કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ દરમિયાન ટ્રક ભરીને પથ્થર એકત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ આ લોકો એ ભૂલી ગયા કે તે કાશ્મીર નહીં પણ ગુજરાત છે.
પોતાના સંતાનનુ ધર્માતરણ કરતા હિન્દુ માતા વિરૂદ્ધ ફરિયાદ, 8 વર્ષે થઈ કાર્યવાહી