Lok sabha Election 2024: ભરૂચમાં ભાજપનો સામનો આપ સામે, વસાવા સામે લડશે વસાવા
Lok sabha Election 2024: લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આવી સ્થિતિમાં આગામી ચૂંટણી માટે તમામ પક્ષોએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે પણ લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલથી શરૂ થશે, બીજો તબક્કો 26 એપ્રિલે, ત્રીજો તબક્કો 7 મેના રોજ, ચોથો તબક્કો 13 મે, પાંચમો તબક્કો 20 મેના રોજ તબક્કો, 25 મેના રોજ છઠ્ઠો તબક્કો અને સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થશે. જ્યારે પરિણામ 4 જૂનના રોજ આવશે.
શું છે ભરૂચ બેઠકની હાલત? - ગુજરાતની ભરૂચ બેઠક પર ભાજપના મનસુખભાઈ વસાવા અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી રહી છે. એક તરફ મનસુખભાઈ વસાવા લાંબો રાજકીય અનુભવ ધરાવે છે, તો બીજી તરફ ચૈતર વસાવા પણ આદિવાસી સમાજમાં ખૂબ જ લોકપ્રિય ગણાય છે.

ભરૂચમાં વસાવા સામે ભીડશે વસાવા - મનસુખ વસાવા હાલમાં ભરૂચ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે. તેઓ આ બેઠક પરથી સતત 6 ચૂંટણી જીત્યા છે અને એક મોટો આદિવાસી ચહેરો છે. તેમણે 1998માં અહીંથી પહેલી ચૂંટણી જીતી હતી. મનસુખભાઈ કેન્દ્રમાં મંત્રી પણ રહી ચૂક્યા છે અને જનતા પર તેમની પકડ મજબૂત માનવામાં આવે છે.
જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા લોકપ્રિય આદિવાસી ચહેરો છે. તેઓ AAP ધારાસભ્ય છે અને 8 ડિસેમ્બર 2022 થી ડેડિયાપાડા વિધાનસભા મતવિસ્તારનું નેતૃત્વ કરી રહ્યા છે. ડેડિયાપાડા વિધાનસભા જેમાંથી ચૈતર ધારાસભ્ય છે, તે પણ ભરૂચ લોકસભામાં આવે છે. જોકે, તેઓ છેલ્લા કેટલાક સમયથી જેલમાં છે. કારણ કે, તેમણે કથિત રીતે વન કર્મચારીઓને ધમકી આપી હતી.
આમ આદમી પાર્ટી માટે ચૈતરનું કેટલું મહત્વ છે, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, AAP કન્વીનર અરવિંદ કેજરીવાલ તેમને જેલમાં મળવા પણ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચમાં વસાવા સમાજની વસ્તી લગભગ 38 ટકા છે.












Click it and Unblock the Notifications
