Lok Sabha Election 2024: ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા છોટુ વસાવા, આ બેઠકો પર ઉતારશે ઉમેદવારો
Lok Sabha Election 2024: પીઢ આદિવાસી નેતા છોટુ વસાવા શુક્રવારના રોજ ભારત આદિવાસી પાર્ટી (BAP) માં જોડાયા અને જાહેરાત કરી કે, સંગઠન ગુજરાતમાં તમામ આદિવાસી બહુલ લોકસભા બેઠકો પર ઉમેદવારો ઉભા કરશે, જ્યાં 7 મેના રોજ એક તબક્કામાં મતદાન યોજાશે.
78 વર્ષીય છોટુ વસાવા એ જેડી(યુ) છોડ્યા બાદ 2017માં હવે લુપ્ત થઈ ગયેલી ભારતીય ટ્રાઈબલ પાર્ટીની રચના કરી હતી. જે બાદ થોડા દિવસો અગાઉ તેમના મોટા પુત્ર અને BTP પ્રમુખ મહેશ વસાવા સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા.

ભરૂચ જિલ્લાના ઝગડિયામાં એક પત્રકાર પરિષદને સંબોધતા છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, BAP કઈ બેઠકો પર ચૂંટણી લડશે તે આગામી દિવસોમાં જાણી શકાશે.
છોટુ વસાવાએ જણાવ્યું હતું કે, BAP ના બેનર હેઠળ, અમે આદિવાસીઓના અધિકારો માટે લડીશું. તે નિશ્ચિત છે કે, અમે આદિવાસી બહુલ બેઠકો પરથી ઉમેદવારો ઊભા કરીશું. ગુજરાતમાં BAPનો ચૂંટણી એજન્ડા મુખ્ય મુદ્દાઓની આસપાસ ફરશે, જેમ કે બંધારણની અનુસૂચિ 5 ના અમલીકરણ, આદિવાસીઓ દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓ અને તેમના વિસ્તારોમાં બહારના લોકોનો પ્રવેશ.
છોટુ વસાવાએ દાવો કર્યો હતો કે, ભાજપ અને કોંગ્રેસ આદિવાસીઓના પ્રશ્નોને હલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. જ્યારે ભાજપે ભરૂચમાંથી વર્તમાન સાંસદ મનસુખ વસાવાને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે, ત્યારે કોંગ્રેસ સાથે બેઠક વહેંચણીના કરાર હેઠળ આમ આદમી પાર્ટીએ તેના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાનમાં ઉતાર્યા છે.
મનસુખ વસાવા 1998થી સાંસદ છે, પરંતુ તેમણે પ્રદેશના આદિવાસીઓ માટે કોઈ કામ કર્યું નથી, એવો આક્ષેપ છોટુ વસાવાએ કર્યો હતો. ગુરુવારના રોજ છોટુ વસાવાએ ભારત આદિવાસી સંવિધાન સેના (BASS) ની રચના કરી હતી, જે તેમના મતે સામાજિક અને બિન-રાજકીય સંગઠન હશે.
BAPની સ્થાપના ગયા વર્ષે રાજસ્થાનમાં થઈ હતી, જ્યાં તેમણે ત્રણ વિધાનસભા બેઠકો જીતી હતી. તેમણે ત્યાંની 2023ની ચૂંટણીમાં મધ્ય પ્રદેશની એક વિધાનસભા બેઠક પણ જીતી હતી. છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવા છેલ્લા કેટલાક સમયથી BAPમાં સક્રિય છે અને રાષ્ટ્રીય સ્તરે પક્ષના મુખ્ય કાર્યકર્તાઓમાંના એક છે, એમ પીઢ નેતાના નજીકના સાથી અંબાલાલ જાદવે જણાવ્યું હતું.
2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં, BTP ઝગડિયા (છોટુ વસાવા) અને ડેડિયાપાડા (તેમના પુત્ર મહેશ વસાવા) પરથી જીતી હતી. 2022માં છોટુ વસાવા તેમના પુત્ર સાથે મતભેદો પછી ઝગડિયાથી અપક્ષ તરીકે લડ્યા હતા, પરંતુ ભાજપના રિતેશ વસાવા સામે હાર્યા હતા. તેમનો પુત્ર મહેશ નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠક પરથી AAPના ચૈતર વસાવા સામે હારી ગયો હતો.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
