આખરે મણીપુરને નવા મુખ્યમંત્રી મળ્યા, વાય. ખેમચંદ સિંહે શપથ લીધા
મણિપુરમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને અનિશ્ચિતતાનો આખરે અંત આવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા રાષ્ટ્રપતિ શાસન હટાવ્યાના ગણતરીના કલાકોમાં જ નવા સમીકરણો રચાયા છે. ભાજપના નેતા વાય. ખેમચંદ સિંહે રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી અધિસૂચના બાદ સત્તાનું હસ્તાંતરણ પ્રક્રિયા ઝડપી બની હતી. 4 ફેબ્રુઆરી, 2026ના રોજ રાષ્ટ્રપતિની સત્તાવાર જાહેરાતે રાજ્યમાં ફરી લોકશાહી શાસનનો માર્ગ મોકળો કર્યો છે. બંધારણના અનુચ્છેદ 356(2) હેઠળ લાદવામાં આવેલું શાસન હવે સત્તાવાર રીતે રદ કરવામાં આવ્યું છે.
ભાજપના મતે વાય. ખેમચંદ સિંહનું નેતૃત્વ રાજ્યમાં શાંતિ અને સુશાસન સ્થાપવા માટે સક્ષમ છે. જોકે, પડકાર એ છે કે નવી સરકાર વંશીય હિંસાથી પીડાતા રાજ્યમાં સ્થિરતા લાવી શકશે કે નહીં. પક્ષ આ નવા નેતૃત્વ દ્વારા વિકાસના કાર્યોને વેગ આપવા માટે મોટી આશા રાખી રહ્યો છે.
NDA ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ થયા બાદ 62 વર્ષીય ખેમચંદ સિંહે સરકાર રચવાનો દાવો કર્યો હતો. રાજ્યપાલ અજય કુમાર ભલ્લાએ લોક ભવનમાં તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. દિલ્હીમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકો બાદ તેમના નામ પર મહોર મારવામાં આવી હતી.
નોંધનીય છે કે ફેબ્રુઆરી 2025માં એન. બિરેન સિંહના રાજીનામા બાદ મણિપુરમાં કટોકટી સર્જાઈ હતી. મૈતેઈ અને કૂકી સમુદાય વચ્ચેની હિંસા ડામવામાં નિષ્ફળ રહેતા તત્કાલીન સરકારની ભારે ટીકા થઈ હતી. એક વર્ષ સુધી ચાલેલા કેન્દ્રીય શાસન બાદ હવે ફરી સત્તાની બાગડોર ભાજપના હાથમાં આવી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
