રાજ્યના કેબિનેટ ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે પગાર ભથ્થાનો લાભ જતો કર્યો
રાજ્ય સરકારના કેબિને મંત્રી બળવંતસિંહ રાજપુતે પોતાના મંત્રી તરેકી મળતા પગાર ભથ્થાના લાભો જતા કર્યા છે. આ અગે તેમના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને રજુઆત કરોતો પત્ર લખ્યો છે.
રાજ્ય સરકારના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુતે પોતાના મળતા તમામ સરકારી પગાર ભથ્થાના લાભોને જતા કર્યા છે. આ માટે તેમના દ્વારા મળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળીને લેખિતમાં રજુઆત કરી હતી. તેમની આ માંગને નાણા વિભાગ પાસે મોકલી આપવામાં આવશે અને ત્યાર બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બળવંતસિંહ રાજપુત આ પહેલા પણ જ્યારે કોગ્રેસના ધારસભ્ય હતા ત્યારે પણ તેમાના દ્વારા પગાર લેવામાં આવતો નહી.
બળવંતસિંહ રાજપુતે મુખ્યમંત્રીને પત્ર લખતા જણાવ્યુ હતુ કે, મંત્રી મંડળમાં કેબિનેટ કક્ષઆની જવાબદારી સોપવામાં આવી છે. સરકાર દ્વારા નિયમાનુસાર મળવાપાત્ર પગાર ભથ્થાની ચૂકવણી કરવામાં આવે છે. જે હુ મંત્રી તરીકે મળવાપાત્ર પગાર અને અન્ય પગાર આધારીત ભથ્થા સ્વીકારવા માંગતો નથી.
બળવંતસિહં રાજપુત બીજા એવા ધારાસભ્ય બન્યા છે જે પોતાના પગાર ભથ્થાનો લાભ જતો કરશે આ પહેલા દ્વારકા બેઠકના ભાજપના જ ધારાશભ્ય પબુભા માણેક દ્વારા પણ પોતાનો પગાર ભથ્થાનો લાભ જથો કર્યો હતો.