હું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એસનસીપી લીડર શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ લોકસભા ચૂંટણી નથી લડવા માંગતા.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એસનસીપી લીડર શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ લોકસભા ચૂંટણી નથી લડવા માંગતા. પરંતુ તેની સાથે તેમને દાવો પણ કર્યો છે કે કેન્દ્રમાં ફરીથી મોદી સરકાર નહીં. તેમને કહ્યું કે ભાજપ આ વખતે ફક્ત 150 સીટો જ જીતી શકશે. ભાજપ સિવાયના દળોને 350 જેટલી સીટો મળશે.
આ પણ વાંચો: 16મી લોકસભામાં એલકે અડવાણીનું પ્રદર્શન રહ્યું હતું સૌથી ખરાબ

આખરે કેમ લોકસભા ચૂંટણી નથી લડવા માંગતા?
શંકરસિંહ વાઘેલાએ આ વાતો એનસીપી કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન કહી. જ્યાં તેમને કહ્યું કે મારી ઈચ્છા ચૂંટણી લડવાની નથી, પરંતુ તેઓ એનસીપીને મદદ ચોક્કસ કરશે. આપને જણાવી દઈએ કે એનસીપી સાથે જોડાતા પહેલા શંકરસિંહ વાઘેલા ઘ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે તેઓ લોકસભા ચૂંટણી લડશે, પરંતુ હવે વાઘેલાએ જાતે જ ચૂંટણી લડવાની ના પાડી છે.

ભાજપા સરકાર માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે
કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે એનસીપી કાર્યાલય પ્રફુલ પટેલ ઘ્વારા ખોલવામાં આવ્યું છે. આ કાર્યાલય કાર્યકર્તાઓની ઈચ્છાથી ફરી ખોલવામાં આવ્યું છે. વાઘેલાએ સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. દેશના શહીદોની શહાદત ભૂલીને દેશના નેતાઓએ હોળી રમી છે. તેમને દાવો કર્યો છે કે વર્ષ 2019 દરમિયાન એનડીએ સરકાર નહીં બને.

એનસીપીએ ગુજરાતમાં 4 સીટોની માંગ કરી
વાઘેલાએ કહ્યું કે એનસીપીએ ગુજરાતમાં 4 સીટોની માંગ કરી છે, પરંતુ અંતિમ નિર્ણય કોંગ્રેસ લેશે. શંકરસિંહ વાઘેલાએ આગળ કહ્યું કે ભાજપ સરકાર તેમના 5 વર્ષનો હિસાબ આપવાને બદલે કોંગ્રેસના 70 વર્ષનો હિસાબ માંગી રહી છે. 5 વર્ષમાં લોકોનો વ્યવસાય બંધ થઇ ગયો. બેરોજગારી વધી છે. તેમને કહ્યું કે જો લોકોને ચોકીદાર જ બનવું છે, તો ભાજપના લોકો ચૂંટણી જ કેમ લડે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
