16મી લોકસભામાં એલકે અડવાણીનું પ્રદર્શન રહ્યું હતું સૌથી ખરાબ
16મી લોકસભામાં એલકે અડવાણીનું પ્રદર્શન રહ્યું હતું સૌથી ખરાબ
ગાંધીનગરઃ ભાજપના પીઢ નેતાઓમાંના એક લાલ કૃષ્ણ અડવાણીને લોકસભા ચૂંટણી 2019 માટે ટિકિટ આપવામાં આવી નથી. જણાવી દઈએ કે 16મી લોકસભામાં તેઓ ગાંધીનગર વિધાનસભા મતવિસ્તારમાંથી સાંસદ છે. ભારત સરકારમાં તેઓ અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર ફરજ બજાવી ચૂક્યા છે. 2002થી 2004 સુધી તેઓએ દેશના નાયબ વડાપ્રધાન તરીકે પણ ફરજ બજાવી છે. તેઓ ભારતના રક્ષામંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી જેવા મહત્વપૂર્ણ હોદ્દા પર પણ ફરજ બજાવી ચૂક્યા છે. તેમનો જન્મ 8 નવેમ્બર 1927ના રોજ કરાંચી (હાલનું પાકિસ્તાન)માં થયો હતો.

ઉલ્લેખનીય છે કે સાંસદ સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ દરેક સંસદ પોતાના મતવિસ્તારમાં વિકાસનાં કાર્યો કરવા માટે 25 કરોડના હકદાર બની જાય છે. અડવાણી દ્વારા 29.59 કરોડ રૂપિયાની ભલામણ કરવામાં આવેલ હતી, જો કે જિલ્લા અધિકારી દ્વારા 21.23 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી 20 કરોડ રૂપિયા ભારત સરકાર દ્વારા ફાડવવામાં આવ્યા હતા. ગાંધીનગર લોકસભા મતવિસ્તારના વિકાસ કાર્યો માટે વ્યાજ સહિત કુલ 24.29 કરોડ રૂપિયા મળ્યા હતા, જેમાંથી ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી દ્વારા 19.45 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે જ્યારે ડિસ્ટ્રિક્ટ ઑથોરિટી પાસે હજુ પણ 4.84 કરોડ રૂપિયાનું ભંડોળ પડ્યું છે.
સંસદમાં લાલ કૃષ્ણ અડવાણીની કુલ 92 ટકા હાજરી છે. બની શકે કે તેમની ઉંમરને કારણે પણ તેમનું પરફોર્મન્સ અન્ય સાંસદોની સરખામણીએ નબળું રહ્યું. 16મી લોકસભામાં તેમણે માત્ર 1 જ ડિબેટમાં ભાગ લીધો હતો જ્યારે તેમણે સંસદમાં એકપણ પ્રશ્ન નહોતો પૂછ્યો અને એકપણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ નહોતાં કર્યાં.
આ પણ વાંચો- સાંસદ ડૉ. ભારતીબેન શિયાળે ભાવનગરના વિકાસ માટે વાપર્યા 15.59 કરોડ રૂપિયા
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ












Click it and Unblock the Notifications
