કેન્યા હુમલામાં 7 ભારતીઓના મોત, મોદીએ લખ્યો PMને પત્ર!
ગાંધીનગર, 23 સપ્ટેમ્બર :નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન મનમોહન સિંહને ચિઠ્ઠી લખીને કેન્યાની રાજધાની નૈરોબીના મોલમાં થયેલા આતંકવાદી હુમલામાં પ્રભાવિત ભારતીયોની મદદ માટે વડાપ્રધાનને અપીલ કરી છે. મોદીએ ચિઠ્ઠીમાં વડાપ્રધાનને કેન્યામાં રહી રહેલા ભારતીઓની સુરક્ષાને લઇને કડક પગલા ઉઠાવવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેરોબીના મોલમાં આતંકી હુમલામાં સાત ગુજરાતીઓના મોત થયા છે. જોકે અધિકારીક રીતે હજી માત્ર ત્રણ ભારતીઓના મોતની ખરાઇ થઇ છે.

કહેવાય છે કે કેન્યામાં મોટા ભાગના ગુજરાતના રહેનારા છે, અને તેના કારણે મૃતકોની સંખ્યામાં ગુજરાતીઓ વધારે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મોલ કચ્છના ઉદ્યોગપતિ લક્ષ્મણભાઇ એન્ડ કંપનીએ બનાવડાવ્યો હતો.
નૈરોબી આતંકવાદી હુમલામાં 7 ગુજરાતીઓના મોત થયા છે જેમના નામની યાદી આ પ્રમાણે છે:
1. મિતુલ શાહ(જામનગર)
2. રાજેન સોલંકી(જામનગર)
3. અનુજ શાહ(જામનગર)
4. જ્યોતિ વાયા(રાજકોટ)
5. માલતિ વાયા(રાજકોટ)
6. નેહા મશરૂ(જામનગર)
7. નેહલ વાકેરિયા(ભુજ)












Click it and Unblock the Notifications
