Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

૧૧ ઓક્ટોબરે પાવાગઢમાં મોદીની વિકાસયાત્રાનું સમાપન

narendra modi
ગાંઘીનગર, 07 ઑક્ટોબરઃ અરુણ જેટલીની ઉપસ્થિતિમાં મળેલી ભાજપના અગ્રણીઓની બેઠકમાં મોદીની વિવેકાનંદ વિકાસયાત્રાનો સમાપન સમારોહ કાર્યક્રમ ભવ્યતાપૂર્ણ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સમાપન સમારોહમાં રાષ્ટ્રીય નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. 11 સપ્ટેમ્બરથી શરૂ કરેલી આ વિકાસયાત્રાને 11 ઓક્ટોબરે એક મહિનો થયો છે. બહુચરાજીથી શરૂ કરેલી વિકાસયાત્રામાં મોદીએ ગુજરાતમાં સાઘેલા વિકાસની સાથોસાથ કેન્દ્રની યુપીએ સરકાર પર પ્રહારો કર્યા હતા અને ગુજરાતમાં નવા જિલ્લાઓ તથા તાલુકાઓની જાહેરાત કરી હતી.

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવ્યા બાદ કૌશિક પટેલના સરકારી બંગલા ખાતે ચૂંટણી સબંધિત બેઠક મળી હતી. જેમાં ભાજપના અગ્રણી નેતા અરૂણ જેટલી, બલવિર પૂંજ તથા ઓમ માથુર હાજર રહ્યાં હતા. તેમજ ગુજરાતના અગ્રણી નેતાઓ અને અમિત શાહે પણ આ બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં 11 ઓક્ટોબરે પાવાગઢ ખાતે વિવેકાનંદ વિકાસયાત્રાના સમાપન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સમાપન ભવ્ય અને વૈવિધ્યપૂર્ણ રહે તે માટેની જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે.

સાત ઓક્ટોબરે મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થયા છે. જેની ઉજવણી અને સન્માન કાર્યક્રમ પણ યાત્રાના સમાપન સમારોહ દરમિયાન કરવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X