For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી મણીનગરના બદલે એલીસબ્રિજથી ચૂંટણી લડે તેવી શક્યતા

By Super
|
Google Oneindia Gujarati News

Narendr Modi
અમદાવાદ, 16 ઑક્ટોબરઃ છેલ્લી બે ટર્મથી મણીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી આ વખતની ચૂંટણીમાં એલીસબ્રીજ અથવા તો ઘાટલોડિયામાંથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સૂત્રોની માહિતી અનુસાર મોદી સુરક્ષિત બેઠકની શોધમાં છે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર છેલ્લી બે વિધાનસભાની બેઠકમાં નરેન્દ્ર મોદી મણીનગરની બેઠક પરથી ચૂંટણી લડતા આવ્યાં છે, જો કે આ વખતે તેઓ અન્ય સુરક્ષિત બેઠક પરથી ચૂંટણી લડવાની યોજના બનાવી રહ્યાં છે, તેમની આ યોજના પાછળ અન્ય બેઠકોના ચૂંટણી પ્રચારમાં ધ્યાન આપી શકવાની તેમની વિચારણા હોવાનું સૂત્રોનું કહેવું છે.

સૂત્રોએ જણાવ્યું છે કે નવી બેઠક માટે મોદીએ પક્ષના અન્ય સાથીઓને પોતાના માટે નવી બેઠક અંગે ધ્યાન આપવા અંગે કહ્યું છે. શહેરી વિસ્તારમાં પોતાની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેઓ અમુક શહેરી વિસ્તારની બેઠકોમાં રસ દર્શાવી રહ્યાં છે. તેમજ નવા સીમાંકન બાદ સરખેજ અલગ થઇ જવાના કારણે મોદી મણીનગરના બદલે એલીસબ્રીજ અથવા ઘાટલોડિયાથી ચૂંટણી લડશે.

English summary
According to Source chief minister of Gujarat Narendra Modi will not contest on maninagar seat in this election.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X