મોરબી પુલ દૂર્ઘટનામાં રાજકોટના ભાજપ સાંસદ મોહન કુંડારિયાના પરિવારના 12 સભ્યોના મોત, કહ્યુ - દોષિતોને છોડીશુ નહ
મોરબી પુલ અકસ્માતમાં ગુજરાતના રાજકોટના ભાજપના સાંસદ મોહનભાઈ કલ્યાણજી કુંડારિયાના પરિવારના 12 સભ્યોના મોત થયા છે.
રાજકોટઃ ગુજરાતના મોરબી પુલના ગોઝારા અકસ્માતમાં અત્યાર સુધીમાં 141 લોકોના મોત થયા છે. 400 જેટલા લોકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાં 30થી વધુ બાળકો સહિત 141 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. હજુ પણ બે લોકો ગાયબ છે. મોરબીમાં મચ્છુ નદીનો ઝુલતો પુલ ધરાશાયી થયા બાદ સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. મોરબી પુલ અકસ્માતમાં ગુજરાતના રાજકોટના ભાજપના સાંસદ મોહનભાઈ કલ્યાણજી કુંડારિયાના પરિવારના 12 સભ્યોના મોત થયા છે.

ઈન્ડિયા ટુડે ટીવી સાથે વાત કરતાં મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યુ કે, 'મે મોરબી અકસ્માતમાં પાંચ બાળકો સહિત મારા પરિવારના 12 સભ્યો ગુમાવ્યા છે. મે મારા પરિવારના સભ્યો ગુમાવ્યા છે જે મારી બહેનના પરિવારમાંથી હતા. આ કેસમાં દોષિતોને બક્ષવામાં આવશે નહિ.' ભાજપના સાંસદ મોહનભાઈએ જણાવ્યુ હતુ કે, મોરબી અકસ્માતમાં મારી બહેનના જેઠ એટલે કે મારા જીજાજીના મોટા ભાઈએ 4 દીકરીઓ, 3 જમાઈ અને 5 બાળકો ગુમાવ્યા છે. આ મારા પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. હું ગઈકાલે સાંજથી સ્થળ પર છુ. આ અકસ્માતનું સત્ય 100 ટકા બહાર આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બાબત પર નજર રાખી રહ્યા છે. તેઓ આખી રાત ફોન દ્વારા માહિતી લઈ રહ્યા હતા.
ઝુલતા પુલને ખોલવાની મંજૂરી કેવી રીતે આપવામાં આવી એમ પૂછવા પર ભાજપના સાંસદ મોહનભાઈ કલ્યાણજી કુંડારિયાએ કહ્યુ કે, 'આ દુર્ઘટના કેવી રીતે બની, કોની બેદરકારી હતી તે જાણવા માટે તપાસ કરવામાં આવશે. દોષિતોને સજા કરવામાં આવશે. અમે દોષિતોને છોડીશુ નહિ. મૃતકોમાં મોટાભાગે મહિલાઓ, બાળકો અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. બચાવ કાર્ય હજુ ચાલુ છે.' રાજ્ય સરકારે કહ્યુ કે, એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક વહીવટીતંત્ર સંયુક્ત રીતે બચાવ કાર્યમાં રોકાયેલા છે. મચ્છુ નદીમાં ફસાયેલા લોકોના મૃતદેહોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે અને રેસ્ક્યુ બોટ પણ સ્થળ પર છે.












Click it and Unblock the Notifications
