For Quick Alerts
For Daily Alerts
કિશોર ભજિયાવાલાને ત્યાંથી વધુ 125 કિલો ચાંદીના વાસણ અને 10 ટનની તિજોરી મળી આવી
સુરતના કિશોર ભજિયાવાલાને ત્યાં આઇટીની તપાસ સતત પાંચ દિવસથી ચાલી રહી છે. દરમિયાન ગત રોજ તેની ભાગા તળાવ ખાતેના દુકાનમાંથી ચાંદીના વાસણો મળી આવ્યા હતા...
સુરતના કિશોર ભજિયાવાલાને ત્યાં આઇટીની તપાસ સતત પાંચ દિવસથી ચાલી રહી છે. દરમિયાન ગત રોજ તેની ભાગા તળાવ ખાતેના દુકાનમાંથી ચાંદીના વાસણો મળી આવ્યા હતા.
સાંજ સુધીની તપાસમાં આ આંકડો વધીને 125 કિલો ચાંદીના વાસણ જેટલો થયો હતો. તેમજ કુલ 650 કરોડની સંપત્તિ મળી આવી છે. જેમાં 1.49 કરોડના સોનાના ઘરેણા, 4.92 કરોડની અન્ય ઝવેરાત સહિત 10.50 કરોડની વધુ સંપત્તિ આઇટીના અધિકારીઓએ જપ્ત કરી હતી. ભજિયાવાલાએ સુરતની આસપાસ વલસાડ તેમજ તેના મૂળ વતન અમરેલીમાં પણ મિલકતો વસાવી છે જેના પણ પુરાવા મળી આવ્યા છે. ભજિયાવાલાએ કરોડો રુપિયાની મિલકતો તેના પુત્ર અને પુત્રવધુના નામે લીધી છે.
Comments
English summary
more 125 kg silver vessels seized from kishor bhajiyavala
Story first published: Monday, December 19, 2016, 13:13 [IST]