સાંઇના રહસ્યો પરથી ઉઠશે પદડો, વાંચો આજના ખાસ સમાચાર
ગાંધીનગર, 9 ડિસેમ્બરઃ ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, બળાત્કારના આરોપમાં ધરપકડ કરાયેલા નારાયણ સાઇના કાળા કામો પરથી દરરોજ પડદો ઉઠી રહ્યો છે. માહિતી અનુસાર નારાયણ સાઇની પત્ની જાનકી આજે સુરત પોલીસના સમન્સ લઇને ડીસીબી ઓફીસ પહોંચી હતી, જ્યાં સાઇના અનેક રહસ્યો ખુલશે તેવી વાતો ચર્ચાઇ રહી છે. રાજોકટના ભાવનગર હાઇવે પાસે રાજસમઠિયાળા ગામ નજીક ટ્રક અને મેટાડોર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સુરતઃ પત્ની ફોડશે સાઇનો ફાંડો, ખુલશે અનેક રહસ્ય
બળાત્કારના આરોપમાં ધરપકડ કરાયેલા નારાયણ સાઇના કાળા કામો પરથી દરરોજ પડદો ઉઠી રહ્યો છે. માહિતી અનુસાર નારાયણ સાઇની પત્ની જાનકી આજે સુરત પોલીસના સમન્સ લઇને ડીસીબી ઓફીસ પહોંચી હતી, જ્યાં સાઇના અનેક રહસ્યો ખુલશે તેવી વાતો ચર્ચાઇ રહી છે. મળતી માહિતી અનુસાર નારાયણ સાઇ અને જાનકીના મધુર સંબંધો જમનાના પુત્રને લઇને વણસ્યા છે, જેને લઇને જાનકી અગાઉ પણ સુરત પોલીસ સામે અનેક ચોંકવનારા ખુલાસા કરી ચૂકી છે. ત્યારે આ વખતે પણ પૂછપરછ દરમિયાન જાનકી સાઇના અનેક કૌભાંડો પરથી પડદો ઉઠાવશે લોક ચર્ચા થઇ રહી છે.

ચાર રાજ્યોમાં કેસરિયો લહેરાયોઃ રાજકોટમાં ઉજવણી
લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ ગણાતી ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનું કમળ ખીલ્યું છે. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમત છે, જ્યારે દિલ્હીમાં ભાજપ પાસે બહુમત નથી પરંતુ ગઇ વિધાનસભાની ચૂંટણી કરતા સારો દેખાવ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઇને ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો, રાજકોટ શહેરના ભાજપ કાર્યાલય પાસે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટઃ ટ્રક અને મેટાડોર વચ્ચે ટક્કરમાં બેના મોત
રાજોકટના ભાવનગર હાઇવે પાસે રાજસમઠિયાળા ગામ નજીક ટ્રક અને મેટાડોર વચ્ચે અકસ્માત સર્જાતા બે લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા. માહિતી અનુસાર ખેડૂતો લાખાપરથી શાકભાજી લઇને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યાં હતા ત્યારે રાજસમઢિયાળા સ્થિત રંગુન માતાના મંદિર ખાતે આ અકસ્માત સર્જાયો હતો

સુરતઃ સાઇની મોડી રાત સુધી પૂછપરછ
સુરત ખાતે બળાત્કારના આરોપી નારાયણ સાઇ, સાધક હનુમાન અને ડ્રાઇવરની પૂછપરછ કરવામાં આવી હતી. ત્રણેયને સુરત ડીસીપી ઓફીસ ખાતે લાવવામાં આવ્યા હતા, સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નારાયણ સાઇ અને રમેશને ઘટના સ્થળે લઇ જવામાં આવશે અને ત્યાં પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. રમેશે નારાયણ સાઇને છૂપવામાં અને મોબાઇલ તથા સીમકાર્ડ પૂરા પાડવામાં મદદ કરી હોવાની પોલીસને આશંકા છે. નોંધનીય છે કે, સાઇના 11મી ડિસેમ્બરે રિમાન્ડ પૂર્ણ થાય છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
