મોદીનો પટેલને જવાબ, 'તમે તો રાજવંશોની સેવા જ કરી છે'

અહેમદ પટેલે આજે દેડિયાપાડા ખાતે એક સભાનું સંબોધન કરતા મોદી પર ચાબખા કર્યા હતા અને જણાવ્યું હતું કે 'મોદી એક ભ્રષ્ટાચારી નેતા છે. અને દુનિયાભરના કૂતરાઓ ભ્રષ્ટાચારીઓને શોધવા છૂટા મૂકી દેવામાં આવે તો તે સીધા ગાંધીનગરમાં મોદીના બંગલે પહોચી જશે.'
અહમદ પટેલે વધુમાં જણાવ્યું કે 'મોદીને સુલતાન કહેવાથી શા માટે મરચા લાગે છે? મે તો તમને ગુજરાતના સુલતાન કહ્યા એ તો સારી વાત કહેવાયને? તેમણે ઉમેર્યું તમે અમને શીખવશો કે લોકશાહી શું છે?'
પટેલે જણાવ્યું કે મોદીએ બહેનોને એક વખત કહ્યું હતું કે તમે મને એક કાગળ લખજો હું તમારી વહારે આવીને ઉભો રહીશ. પટેલે જણાવ્યું કે આ બહેનો અહી વલખા મારે છે, તેમણે કાગળો લખી લખીને થાક્યા, પણ મોદીજી પત્રો વાંચતાય નથી અને તેમના કાને બહેનોનો અવાજ સંભળાતો પણ નથી.
તેમણે જણાવ્યું કે મોટાભાગના વિકાસ કોંગ્રેસના રાજમાં થયા છે. 108ની સુવિધા કેન્દ્ર સરકારની દેન છે અને રાજ્ય સરકાર આ યોજના પોતાના નામે ચડાવી રહી છે. વીજળીમાં ગુજરાત ઉન્નત છે તેના પાછળ પણ કેન્દ્રની મદદ છે, અને મોદી સરકાર બધી યોજનાને પોતાના નામે ચરાવી રહી છે.
અહમદ પટેલ દ્વારા સુલતાન કહેવા પર મોદીએ પણ તેમની પર વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે 'સુલતાનને તો રાજવંશ પૈદા કરે છે, અને આપે તો નવી દિલ્હીમાં આખી જીંદગી આ રાજવંશોની સેવા કરવામાં વીતાવી દીધી છે. માટે આપને આના કરતા બીજો કોઇ શબ્દ સૂજી જ ના શકે.'
આ પહેલા નરેન્દ્ર મોદીએ પણ અહેમદ પટેલ પર શાબ્દિક બાણ ચલાવતા કહ્યું હતું કે કોંગ્રેસ 'અહમદ મિયા પટેલ'ને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવા માગે છે. પરંતુ તેઓ તેમનું નામ મુખ્યમંત્રી માટે જાહેર કરતા ડરે છે.
-
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ












Click it and Unblock the Notifications
