ગાંધીનગરના બહિયલમાં નવરાત્રિ દરમિયાન પથ્થરમારો થતા તણાવ
નવરાત્રિ ઉત્સવની વચ્ચે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામમાંથી એક ચિંતાજનક અને હિંસક અથડામણનો બનાવ સામે આવ્યો છે.
ગામમાં ચાલી રહેલા ગરબા મહોત્સવ દરમિયાન અચાનક બે જૂથ વચ્ચે મામલો ગરમાયો હતો, જેણે તંગદિલીભરી સ્થિતિ પેદા કરી છે.

અહેવાલો અનુસાર, બહિયલ વિસ્તારમાં માતાજીની ગરબી ચાલી રહી હતી. આ સમયગાળા દરમિયાન ટોળાએ અચાનક ત્યાં ધસી આવીને ગરબા સ્થળ પર પથ્થરમારો કર્યો હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
આ ઘટનાને કારણે ગરબાના આયોજનમાં અફરાતફરી મચી ગઈ હતી અને કેટલાક લોકોને ઈજા પહોંચી હોવાના પણ અહેવાલ છે.
પથ્થરમારા બાદ પરિસ્થિતિ વધુ વણસી હતી. ટોળાએ કથિત રીતે બે થી ત્રણ દુકાનોને આગ લગાવી દીધી હતી અને ત્યાં લૂંટફાટ પણ ચલાવી હોવાના અહેવાલો છે. આ સિવાય વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.
આ ઘટનાના પગલે સમગ્ર બહિયલ ગામમાં તંગદિલીનો માહોલ છે. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.
આ હિંસક અથડામણ પાછળના ચોક્કસ કારણો અને તેમાં સામેલ લોકો વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માગણી થઈ રહી છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
