નવસારી ભાજપમાં ભડકો, 8 હોદ્દેદારોના એકસાથે રાજીનામા
નવસારી જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો જોવા મળી રહ્યો છે.
જલાલપોર બાદ હવે નવસારી તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત કુલ 8 જેટલા મુખ્ય હોદ્દેદારોએ રાજીનામા ધરી દીધા છે.

રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, નારાજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સમર્થકો સાથે 'કમલમ' કાર્યાલય પહોંચ્યા હતા અને પોતાના હોદ્દા ત્યાગ્યા હતા.
છેલ્લા માત્ર એક સપ્તાહમાં જલાલપોર અને નવસારી તાલુકામાંથી કુલ 50 જેટલા હોદ્દેદારોએ રાજીનામા આપતા ભાજપ સંગઠનમાં સોંપો પડી ગયો છે.
હવે એવી ચર્ચાઓ પણ જોર પકડી રહી છે કે, તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આગામી સમયમાં કેસરીયો સાથ છોડી શકે છે.
સતત પડી રહેલા રાજીનામાના દોરને કારણે નવસારી જિલ્લા ભાજપમાં હડકંપ મચ્યો છે અને સંગઠન સ્તરે મોટી તિરાડ દેખાઈ રહી છે.












Click it and Unblock the Notifications
