G'nagar:રસ્તાઓની કમાલ, ક્યારેય આંખમાં પડતો નથી તડકો
ગાંધીનગર, 2 ઓગષ્ટ: આજે તમે કોઇપણ શહેરના ફક્ત માર્ગોનો નકશો તમારા હાથમાં પકડશો તો તમને ગુંચવાઇ જશો. ક્યાંક આડી-અવડી ગલીઓ સાપસીડી જેવા માર્ગોને જોઇને તમારું દિમાજ ચકરાવે ચડી જશે. અમે હારી થાકીને નકશો પડતો મુકીને કોઇ સ્થાનિક વટેમાર્ગુની સલાહ પ્રમાણે ચોક્કસ સ્થાને જવાનું પસંદ કરશો પરંતુ ગાંધીનગર એક એવું સુઆયોજીત શહેર છે જ્યાં તેના મુખ્ય ૧૪ રસ્તાઓ સીધા છે.
દર પોણો કિલોમીટરે આવતા ઉભા રસ્તા અને એક એક કિલોમીટરે આવતા આડા રસ્તાઓ નગરરચનાનું મૂળભૂત માળખું પૂરૂ પાડે છે. સવારે કે, સાંજે સૂર્ય સામે ન આવે તે માટે નગરના મુખ્ય રસ્તાઓ 30 પૂર્વે અને આડા રસ્તાઓ ઉત્તરથી 60 પશ્વિમે રાખવામાં આવ્યા છે.
જ-રોડ સાબરમતી નદીના વળાંક પ્રમાણે બીજના ચંદ્ર જેવા આકારે બનાવવામાં આવ્યો છે. આ રોડ શહેરના પૂર્વ ભાગે આવેલો છે. શહેરની હદ પાસે આવેલા અને સીટીના કેન્દ્ર તરફ જતા રસ્તાઓની તરફ પ્રવેશમાર્ગોની પહોળાઇ 65 મીટર અને સરકારી કચેરીઓ તરફ જતાં ઘ-5 રોડ અને જ-રોડ 100 મીટર પહોળા છે. આ ત્રણેય રસ્તા (ઘ-ચ-જ-રોડ) પર અવરજવર માટેની લેનો અલગ-અલગ છે. હવે આ માર્ગો 6 લેન બનાવવામાં આવ્યા છે.
ગાંધીનગરની સ્થાપનાની ઇંટ મૂક્યાના પાંચ વર્ષ બાદ 1 મે 1970ના રોજ ગાંધીનગરને રાજધાનીનું ગૌરવ પ્રાપ્ત થયું. આ નગરના વાસ્તુકાર લા કાર્બોજિયઇ હતા, જેમને ચંદીગઢનો નકશો બનાવ્યો હતો. રાજધાની બનતાંની સાથે આ શહેરે વિકાસનો અધ્યાય શરૂ કરી દિધો.

ક્રમાંક અને કક્કાવારી પ્રમાણે નામ
શહેરના રસ્તાઓનું નામાંકરણ કોઇ વ્યક્તિવિશેષોનાં નામે ન કરવામાં આવતાં ઉભા રસ્તાઓને ક, ખ, ગ, ઘ, ચ અને જ જ્યારે આડા રસ્તાઓને રોડ નં.1,2,3,4,5,6 અને 7 એવા નામ આપવામાં આવ્યા છે.

સહેલું હોવાછતાં અવળેપાટે ચડે છે લોકો
ઉભા આડા રસ્તા એકબીજાને છેદે ત્યાં બનતા જંકશનને બે રોડના સંયુકત નામે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ચ-રોડ અને રોડ નં.5નું જંકશન ચ-5 તરીકે ઓળખાય છે. આ પ્રકારના નામથી શહેરના કયા ભાગમાં આપ ઉભા છો તે જાણવું સહેલું બની જાય છે.

મહાન વિભુતીઓ ઉપરથી રાજમાર્ગો
મહાપાલિકા બન્યા પછી સરકાર દ્વારા ક્કકો-બારાક્ષરીના બદલે ગુજરાતની મહાન વિભુતીઓ ઉપરથી રાજમાર્ગો અને સર્કલોનું નામાંકરણ કરવામાં આવ્યું છે. જે લોકોને યાદ રાખતાં વર્ષો લાગી જશે.

સુઆયોજીત નગર
ગાંધીનગર એક એવું સુઆયોજીત શહેર છે જ્યાં તેના મુખ્ય ૧૪ રસ્તાઓ સીધા છે.

તડકાથી રક્ષણ
દર પોણો કિલોમીટરે આવતા ઉભા રસ્તા અને એક એક કિલોમીટરે આવતા આડા રસ્તાઓ નગરરચનાનું મૂળભૂત માળખું પૂરૂ પાડે છે. સવારે કે, સાંજે સૂર્ય સામે ન આવે તે માટે નગરના મુખ્ય રસ્તાઓ 30 પૂર્વે અને આડા રસ્તાઓ ઉત્તરથી 60 પશ્વિમે રાખવામાં આવ્યા છે.

મહાન વિભુતીઓ ઉપરથી રાજમાર્ગો
મહાપાલિકા બન્યા પછી સરકાર દ્વારા ક્કકો-બારાક્ષરીના બદલે ગુજરાતની મહાન વિભુતીઓ ઉપરથી રાજમાર્ગો અને સર્કલોનું નામાંકરણ કરવામાં આવ્યું છે. જે લોકોને યાદ રાખતાં વર્ષો લાગી જશે.

સરળ છતાં ગોથે ચડે છે લોકો
ઉભા આડા રસ્તા એકબીજાને છેદે ત્યાં બનતા જંકશનને બે રોડના સંયુકત નામે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે ચ-રોડ અને રોડ નં.5નું જંકશન ચ-5 તરીકે ઓળખાય છે. આ પ્રકારના નામથી શહેરના કયા ભાગમાં આપ ઉભા છો તે જાણવું સહેલું બની જાય છે.

રસ્તાની કમાલ
સવારે કે, સાંજે સૂર્ય સામે ન આવે તે માટે નગરના મુખ્ય રસ્તાઓ 30 પૂર્વે અને આડા રસ્તાઓ ઉત્તરથી 60 પશ્વિમે રાખવામાં આવ્યા છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી





Click it and Unblock the Notifications
