ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે નિમાબેન આચાર્યનું નામ આગળ
ગાંધીનગર, 2 સપ્ટેમ્બર : કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા બાદ વિવિધ રાજ્યોના રાજ્યપાલોની બદલી કરવામાં આવી છે. તેમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ વજુભાઇ વાળાને કર્ણાટકના રાજ્યપાલ નિમવામાં આવ્યા છે. વજુભાઇએ કર્ણાટકના રાજ્યપાલનો ચાર્જ લેવા માટે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે રાજીનામુ આપતા આ જવાબદારી ઉપાધ્યક્ષ મંગુભાઇ પટેલને સોંપવામાં આવી છે. આ દરમિયાન નવા અધ્યક્ષની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રી બાદ મહિલા વિધાનસભા અધ્યક્ષ મળે એ દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે. આ કારણે ગુજરાત વિધાનસભાના નવા અધ્યક્ષની પસંદગી માટે કવાયત હાથ ધરવામાં આવી છે તેમાં સંભવત વિધાનસભા અધ્યક્ષપદે રાજ્યના મહિલા ધારાસભ્યને આપવામાં આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.

ભાજપ વર્તુળો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાલી પડેલા વિધાનસભા અધ્યક્ષ પદ પર મહિલા ધારાસભ્યને કામગીરી સોંપી ગુજરાતમાં મહિલા કલ્યાણની વાત સિદ્ધ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ભુજના ધારાસભ્ય નિમાબેન આચાર્યનું નામ વિધાનસભા અધ્યક્ષપદની રેસમાં સોથી આગળ છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ ડો.નિમાબેન આચાય ચાર ટર્મથી ધારાસભ્ય રહી ચૂકયા હોવા ઉપરાંત વિધાનસભા ગૃહમાં અધ્યક્ષની પેનલ પર પણ રહી ચૂકયા છે. તેમજ ચાર દિવસ માટે કાર્યકારી અધ્યક્ષની કામગીરી બજાવી છે. આથી ડો. નિમાબેન આચાર્યના નામ પર વિધાનસભા અધ્યક્ષ પદની પસંદગીનો કળશ ઢોળવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિધાનસભાના નવા અધ્યક્ષની નિમણુક અત્યારે કરવામાં નહી આવે પરંતુ ફેબ્રુઆરી મહિનાના અંતમાં મળનારા અંદાજપત્ર સત્ર દરમિયાન કરવામાં આવે તેવી શક્યતા છે. આ સત્રમાં વિધિવત રીતે વિધાનસભાના નવા અધ્યક્ષની નિમણુક કરી સત્ર તેમના માર્ગદર્શનમાં ચલાવવામાં આવશે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા






Click it and Unblock the Notifications
