સુરક્ષાથી વિકાસની ઉડાન ભરવા માટે ડીસા એરબેઝ થશે તૈયાર: નરેન્દ્રભાઈ મોદી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિર ગાંધીનગરથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુક્યો હતો. આ વેળાએ તેમણે બનાસકાંઠાના ડીસા ખાતે 52 વિંગ વાયુ સેના (એરફોર્સ) સ્ટેશનનો શિલાન્યાસ પણ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા મંદિર ગાંધીનગરથી એશિયાના સૌથી મોટા ડિફેન્સ એક્સપોને ખુલ્લો મુક્યો હતો. આ વેળાએ તેમણે બનાસકાંઠાના ડીસા ખાતે 52 વિંગ વાયુ સેના (એરફોર્સ) સ્ટેશનનો શિલાન્યાસ પણ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના ડીસામાં નવા અને આધુનિક એરબેઝને વિકસિત કરવામાં આવશે. ડીસામાં વિકસિત થનારું આ એરબેઝ દેશની વાયુસેનાઓની સીમાઓને સુરક્ષિત રાખવાની રણનીતિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહશે.
બનાસકાંઠાના ડીસા ખાતે ૪૫૧૯ એકરમાં બનનારુ આ ડીસા એરબેઝ આંતરરાષ્ટ્રીય સીમાથી માત્ર ૧૩૦ કિલોમીટરના જ અંતરે છે. આ એરબેઝના નિર્માણથી ગુજરાતની આસપાસના એરબેઝ વચ્ચે ૩૫૫ કિલામીટરનું અંતર ઓછુ થઇ જશે. જેનાથી આપણા લડાકુ વિમાનોના ઓપરેટિંગ રેન્જમાં વધારો થશે. સાથે યુદ્ધ સમયે રિસ્પોન્સ ટાઇમ પણ ઓછો કરી શકાશે. આ એરબેઝ બનવાથી દેશની પશ્ચિમી સીમા પર એક સાથે લેન્ડ અને સી ઓપરેશન કરવાનું સંભવ થશે સાથે જ વડોદરા અને અમદાવાદ જેવા આર્થિક કેન્દ્રોને મજબુત એર ડિફેન્સ મળશે. આ એરબેઝથી ઉડાન યોજના અંતર્ગત ઉત્તર ગુજરાતની એર કનેક્ટિવીટીમાં વધારો થશે.
આ એરબેઝના નિર્માણથી સ્થાનિક લોકો માટે રોજગારની તકો ઊભી થશે. આ એરબેઝને ફાસ્ટટ્રેક મોડમાં ૨૧ મહિનામાં તૈયાર કરવામાં આવશે. આ એરબેઝ દેશના ડિફેન્સને મજબૂતી અને ગુજરાતના વિકાસને નવી ગતિ આપવાની દિશામાં એક નવો અધ્યાય બની રહેશે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
